અમરેલીઃ રાજ્યમાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી છે. અમરેલીના દામનગરના કાચરડી ગામના ખેડૂતો આત્મહત્યા કરી છે. 12 વિઘાનો પાક નિષ્ફળ જતા ખેડૂતે આત્મહત્યા કરી છે. ખેડૂતે ટ્રેન નીચે ઝંપલાવી કરી આત્મહત્યા કરી છે. રાજ્યમાં ઓછો વરસાદ થતા કેટલીક જગ્યાઓ પર પાક નિષ્ફળ ગયા છે. બીજી બાજુ મોંઘા બિયારણો સહિતના વિવિધ વિવાદો વચ્ચે જગતનો તાત હવે હિંમત હાર્યો છે. ત્યારે તેઓ હવે આત્મહત્યાનું પગલું ભરી રહ્યા છે.
છેલ્લા 20 દિવસમાં રાજ્યમાં 7 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ત્યારે વીટીવી જગતના તાતને વિનંતી કરે છે કે તમે આત્મહત્યા ન કરો. આત્મહત્યા જ આખરી વિકલ્પ નથી? અન્નદાતાને અપીલ VTV કરે છે. હિંમત ન હારશો નહિં. આપઘાત એ માત્ર ઉકેલ નથી. જીવન ખૂબ અમૂલ્ય છે.
મહત્વનું છે કે 2 દિવસ અગાઉ 28 નવેમ્બરના રોજ સુરેન્દ્રનગરમાં કપાસ સહિતનો પાક નિષ્ફળ જતા ખેડૂતે વાડીએ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. જ્યારે 25 નવેમ્બરના રોજ રાજકોટના તરઘડિયા ગામમાં નબળી આર્થિક પરિસ્થિતિએ એક ખેડૂતનો ભોગ લીધો હતો. જ્યારે 24 નવેમ્બરે સુરેન્દ્રનગરના નાગડકા ગામે ખેડૂતે આપઘાત કરી લીધો હતો.
આ ઉપરાંત 14 નવેમ્બરના રોજ જસદણમાં પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતે આત્મહત્યા કરી હતી. તો 13 નવેમ્બરના રોજ દ્વારકામાં પણ જગતના તાતે પોતાનું જીવન ટુંકાવ્યું હતું. 7 નવેમ્બરના રોજ પણ અમરેલીના ખેડૂતે વિવિધ સમસ્યાઓ સામે હિંમત હારી જીવનને અલવિદા કહ્યું હતું. ત્યારે રાજ્ય સરકાર પણ ખેડૂતોના એક બાદ એક થઈ રહેલા મોત મામલે સતર્કતા દાખવે અને જરૂરી તમામ સહાય પુરી પાડે તે પણ ખુબ જરૂરી છે.