જામનગરઃ ધ્રોલના દેડકદળ ગામમાં ખેડૂતે આપઘાત કર્યો હતો. ત્યારે હવે ખેડૂતે લખેલી 4 પાનાની સુસાઈડ નોટ મળી આવી છે. સ્યુસાઈડ નોટમાં ખેડૂતે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવાનો ઉલ્લેખ કર્યો છે. વ્યાજખોરો છેલ્લા ઘણા સમયથી ખેડૂતને ધમકી આપી રહ્યા હતા. છેલ્લે કંટાળીને ખેડૂતે આપઘાત કર્યો હતો. આ સ્યુસાઈડ નોટમાં ખેડૂતે 2 વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ કર્યો છે.
મહત્વનું છે કે દેવસિંહ જાડેજા એસટી વિભાગમાં કંડકટર તરીકે ફરજ બજાવી નિવૃત થયા હતા. ત્યારબાદ તેઓ ખેતીકામ કરતા હતા. તેમના આપઘાત બાદ સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે તેમણે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો છે. આ મામલે અનેક સવાલો ઉદભવે છે કે વ્યાજખોરોનો આતંક ક્યા સુધી ચાલશે? વ્યાજખોરો પર કાર્યવાહી થશે? વ્યાજખોરો વસુલે છે બેફામ વ્યાજ! પોલીસ કેમ વ્યાજખોરો પર કાર્યવાહી નથી કરતી?
ઉલ્લેખનીય છે કે ખેડૂતે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો કે મારા માતાનું ધ્યાન રાખજો... હું આ પગલું વ્યાજખોરોથી કંટાળીને ભરૂ છું. મારે આપઘાત કરવો પડે તેવી મુસીબત આવી પડી છે. મેં જેટલા પૈસા લીધા એટલા પરત કરી દીધા છે પરંતુ વધુ વ્યાજ લેવા માટે મને પરેશાન કરતા હતા...