VTV ન્યૂઝના અહેવાલની અસર વર્તાઈ છે. ગીર સોમનાથના ખેડૂતની રજૂઆત સરકારે સાંભળી છે. ગીર સોમનાથના કલેક્ટરને આપ્યા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
VTV ન્યૂઝે સાંભળી ખેડૂતની વ્યથા
ખેડૂત CMને રજૂઆત માટે ગાંધીનગર આવ્યા હતા
ભૂ-માફિયાઓના ત્રાસ સામે રજૂઆત માટે ગાંધીનગર આવ્યા હતા
VTV ન્યૂઝના અહેવાલની અસર વર્તાઈ છે. ગીર સોમનાથના ખેડૂતની રજૂઆત સરકારે સાંભળી છે. ગીર સોમનાથના કલેક્ટરને આપ્યા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર મામલે તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. અરશી રામ નામનો ખેડૂત 5 દિવસ સતત સાયકલ લઇ ગાંધીનગર આવ્યા હતા.
ગુજરાતમાં ભૂમાફિયા સામે કડક કાયદાના દાવા પોકળ સાબિત થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં ભૂમાફિયાઓનો આતંક યથાવત છે. સુત્રાપાડાના વાવડી ગામે કરોડોની જમીન પચાવી પાડી છે. મુખ્યમંત્રી સમક્ષ મદદ માંગવા ખેડૂત ગાંધીનગર પહોંચ્યો છે. 5 દિવસ સુધી સાયકલ ચલાવી 443 કિલોમીટરનું અંતર કાપીને 65 વર્ષનો ખેડૂત ગાંધીનગર પહોંચ્યો છે.
જમીનના પ્રશ્નથી પરેશાન ખેડૂતે પોતાની વેદના ઠાલવી છે. રસ્તામાં સાયકલ સવાર ખેડૂતને અકસ્માત પણ નડ્યો હતો. અનેક મુશ્કેલીઓ છતા ખેડૂત પોતાની રજૂઆત માટે મક્કમ છે. ભોગ બનનાર ખેડૂતનું નામ અરશી રામ છે. કાળા હમીર સોલંકી નામના શખ્સે જમીન પચાવી પાડી છે. પચાવેલી જમીન અંબુજા સિમેન્ટ કંપનીને વેચી મારી છે.
સળગતા સવાલ
સરકાર ભૂમાફિયાઓ સામે ક્યારે કરશે કડક કાર્યવાહી?
આ ખેડૂતની વેદના કેમ કોઇ સાંભળતું નથી?
ખેડૂતે ગાંધીનગર સુધી રજૂઆત કરવા કેમ આવવું પડ્યું?
અધિકારીઓ ખેડૂતોને કેમ જવાબ આપતા નથી?
અધિકારીઓની ભૂમાફિયાઓ સામે સાંઠગાઠ છે?
કરોડોની જમીન પચાવી પાડી છતાં કેમ પગલાં લેવાયા નથી?