આગામી ગુરુવારે વિધાનસભામાં ખેડૂતો માટે દેવામાફીના બિલની ચર્ચા કરાશે. વિધાનસભામાં ખેડૂતોના દેવામાફીનું બિલ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ મૂક્યું છે. જેના પર 45 મિનિટ ચર્ચા કરવામાં આવશે. અને ત્યાર બાદ બિલને બહુમતી માટે મૂકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો બિલની ફેવરમાં મતદાન કરે ત્યારે બિલ પાસ થઇ શકશે. અગાઉ જનતા દળ સરકારે 6 હજાર કરોડની ખેડૂતોની લોન માફ કરી હતી. ત્યારે હવે શું રૂપાણી સરકાર ખેડૂતોના દેવા માફ કરતું બિલ પસાર કરશે. અને શું ખરેખર સરકારે ખેડૂતોનું દેવું માફ કરવું જોઇએ ?. શું કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા મૂકાયેલા બિલ પર ચર્ચા કરાશે ?
દેવામાફીની નાયબ મુખ્યમંત્રીએ આપ્યું હતું આવું નિવેદન
આપને જણાવી દઇએ કે, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું છે ત્યારે આ અંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આપણે આપણા વિચારો પહેલા જ રજૂ કરી ચુક્યા છીએ.
એટલે કે ગુજરાતમાં ખેડૂતોનું દેવું ભાજપ સરકાર માફ નહીં કરે. દેવું માફ કરવાનું એક વખત હોય છે પરંતુ કાયમી રીતે ખેડૂત સુખી થાય, ખેડૂતને લાભ થાય, તેની પાયાની જરૂરિયાતો સંતોષાય તે જોવાનું કામ રાજ્યસરકાર કરી રહી છે.