3 કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની અસર જાટ જાતિને પણ થઈ રહી છે જેના કારણે સરકારની ચિંતા વધી છે.
ખેડૂત આંદોલનના કારણે ભાજપને નુકસાનનો ભય
શાહ-નડ્ડા સહિતના મોટા નેતાઓએ કર્યું આ કામ
જાટ જાતિ પર વધી રહ્યો છે ખેડૂત આંદોલનનો પ્રભાવ
ખેડૂત આંદોલનની અસર દેશમાં જાટ બેલ્ટ પર વધી રહી છે. આ કારણે સત્તારૂઢ ભાજપના મોટા નેતાઓની ચિંતા વઘી છે. આ આંદોલનથી લગભગ 40 સીટનું નુકસાન થવાનો ડર છે. મંગળવારે નવી દિલ્હીમાં આ મુદ્દાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના નેતાઓ સાથે બેઠક કરી છે.
ખેડૂતોને ગુમરાહ કરનારાને અપાય જવાબ
મળતી માહિતી અનુસાર શાહે પાર્ટી નેતાઓને કહ્યું કે તેમના 3 કૃષિ કાયદાના લાભ સમજાવવા કેમ્પેન લગાવશે. સાથે એ નક્કી કરે કે દે લોકો ખેડૂતોને કથિત રીતે ગુમરાહ કરી રહ્યા છે તેમને બરાબર લોકોની સાથે જવાબ આપવામાં આવે. પાર્ટી નેતાઓએ ભાજપના નેતૃત્વને જમીની સ્થિતિ પર આકલથી રૂબરૂ કરાવ્યા અને સાથે ચાલી રહેલા આંદોલન અને સરકારની તરફથી ઉકેલની દિશામાં પ્રયાસ ન થવાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે.
કોણ કોણ હાજર રહ્યું બેઠકમાં
મળતી માહિતી અનુસાર આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન, ભાજપ કિસાન મોર્ચાના અધ્યક્ષ રાજકુમાર ચાહર, સાંસદ સત્યપાલ સિંહ સહિતના અન્ય નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ મંથન એ સમયે થયું છે જ્યારે મંગળવારે હરિયાણામાં ખેડૂતોની મહાપંચાયત થઈ અને તેમાં રાકેશ ટિકૈત પણ સામેલ થયા હતા.
પીએમ મોદીએ ફરી આપ્યું આશ્વાસન
કેન્દ્ર અને ખેડૂતોની સાથે આ મુદ્દાને લઈને વાતચીત ચાલી રહી છે ત્યારે પીએમ મોદીએ ફરી આશ્વાસન આપ્યું કે નવા કૃષિ સુધારાનો લાભ નાના, સીમાંત ખેડૂતોને સૌથી વધારે થશે. તેઓએ યૂપીની રેલીના સંબોધનમાં વિપક્ષ પર સરકારના નવા કૃષિ કાયદાને લઈને દુષ્પ્રચારનો આરોપ પણ લગાવ્યો હતો અને સાથે દાવો કર્યો કે કૃષિ બજારમાં વિદેશી કંપનીઓને બોલાવવા માટે કાયદો બનાવનારા લોકો આજે દેશી કંપનીના નામે ખેડૂતોને ડરાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાને લઈને સૌથી વધારે નારાજગી પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતોમાં જોવા મળી રહી છે. ભાજપના સૂત્રોના આધારે આ રાજ્યોમાં થઈ રહેલી પંટાયતોની આ બેઠક શાહ અને જેપી નડ્ડાએ બોલાવી હતી. 11 વખતની વતચીત બાદ પણ હજુ સુધી ખેડૂત આંદોલનને લઈને કોઈ ઉકેલ આવી રહ્યો નથી.