કૃષિ કાયદો રદ્દ થતા કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કે.સી. વેણુગોપાલે તમામ રાજ્યના યુનિટને કહ્યું કે તે આજે રાજ્ય, જિલ્લા તથા બ્લોક સ્તર પર ‘કિસાન વિજય દિવસ’ મનાવતા રેલીઓ અને આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂતો માટે સન્માનમાં કેન્ડલ માર્ચનું આયોજન કરશે.
વેણુગોપાલે કહ્યું કે ખેડૂતો તરફથી ચાલતા આંદોલન અને બલિદાનની સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં એકતા વિપક્ષની લડાઈનું પરિણામ છે કે કેન્દ્ર સરકારે આ કાયદાને રદ્દ કરવાનો નિર્ણય લેવો પડ્યો. તેમણે કહ્યું કે બુરાઈ પર સામૂહિક વિજય અમારા દેશના અન્નદાતાને સમર્પિત છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર તરફથી ગત વર્ષ સપ્ટેમ્બરમાં આ કાયદો લાગૂ કરવામાં આવ્યો હતો.
સંગઠોનોનું કહેવું હતું કે આ કાયદાથી મોટા કોર્પોરેટ્સ ઘરોને ફાયદો થશે
જોકે ખેડૂતોએ તેનો વિરોધ શરુ કર્યો હતો. ખેડૂત સંગઠોનોનું કહેવું હતું કે આ કાયદાથી મોટા કોર્પોરેટ્સ ઘરોને ફાયદો થશે. શરુઆતમાં આ પંજાબ અને હરિયાણા સુધી સમિત હતું. પરંતુ બાદમાં તેનો વિરોધ દેશના અન્ય ભાગોમાં ફેલાઈ ગયો. ગત વર્ષ નવેમ્બરમાં ખેડૂતોએ ‘ચલો દિલ્હી’નું આહ્વાન કર્યુ અને દિલ્હીની સીમાઓ પર ધરણા આપી રહ્યા છે.
કેન્દ્ર સરકાર એમએસપીની સાથે જોડાયેલા મુદ્દા પર વિચાર કરવા માટે એક સમિતી બનાવશે
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાની સાથે સ્પષ્ટ કરી દીધું છે કે કેન્દ્ર સરકાર એમએસપીની સાથે જોડાયેલા મુદ્દા પર વિચાર કરવા માટે એક સમિતી બનાવશે. આ જાહેરાતની સાથે પીએમ મોદીએ કહ્યું કે આ મહિનાના અંતમાં શરુ થનારા સંસદ સત્રમાં અમે ત્રણેય કૃષિ કાયદાને રદ્દ કરવા સંબંધી સંવૈધાનિક પ્રક્રિયાને પુરુ કરી દઈશું.
દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે હું દેશવાસીઓની ક્ષમા માંગુ છું. સાચા મનથી કહ્યું છે કે કદાચ અમારી તપસ્યામાં કોઈ કમી રહી રહી હતી. અમે અમારી વાત કેટલાક ખેડૂત ભાઈઓને સમજાવી નથી શક્યા. આજે ગુરુનાનકજીના પ્રકાશ પર્વ છે. આજે હું સમગ્ર દેશને અ જણાવવા આવ્યો છું કે અમે 3 કૃષિ કાયદાને પાછા લેવાનો નિર્ણય કર્યો છે. અમે ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવાના સંવૈધાનિક પ્રક્રિયાને જલ્દી શરુ કરીશું.