ત્રણેય કૃષિ કાયદાઓની વાપસી માટે બિલના લોકસભાથી પસાર થયા બાદ આજે જ રાજ્યસભામાં પણ લાવવામાં આવી શકે છે.
આજથી શિયાળુ સત્ર શરૂ
કૃષિ કાયદા પરત લેવાનું બિલ થઇ શકે છે રજૂ
લોકસભા બાદ રાજ્ય સભામાં રજૂ થઇ શકે છે બિલ
સંસદના શિયાળુ સત્રની શરૂઆત આજથી(સોમવાર) થવાની છે. કૃષિ કાયદા વાપસી બિલ 2021ને લોકસભામાં ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવી શકે છે. કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર કૃષિ કાયદાને રદ્દ કરવાનું બિલ રજુ કરશે. લોકસભાની વેબસાઇટના એજન્ડા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 19 નવેમ્બરે PM મોદીએ કૃષિ કાયદો રદ્દ કરવાની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે, શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર 26 બિલ સંસદમાં રજૂ કરશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, લોકસભાથી પસાર થયા બાદ આ બિલને સંસદના ઉચ્ચ સદનમાં રજૂ કરવામાં આવશે. આ બિલનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદા પરત લેવાનો છે. જેના વિરોધમાં દેશભરમાં ખેડૂતો લગભગ એક વર્ષ સુધી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે.
વિપક્ષની માંગ છે કે, આ બિલને સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે રજૂ કરવામાં આવે.