પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વહેલી સવારે પોતાના પ્રજાજોગ સંબોધનમાં કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરીને દેશવાસીનો ચોંકાવી દીધા છે. ત્યારે શું હતા આ કૃષિ કાયદા અને મોદી સરકાર કેમ ઝૂકી તેના વિશે જાણો સરળ શબ્દોમાં.
3 કૃષિ કાયદાઓ રદ્દ કરીને પ્રધાનમંત્રી મોદીએ સૌને ચોંકાવ્યા
ખેડૂતો છેલ્લા લાંબા સમયથી બોર્ડર પર કરી રહ્યા હતા વિરોધ
સમજો શું હતા કૃષિ કાયદા અને કેમ થઈ રહ્યો હતો વિરોધ
PM મોદીએ ગુરૂનાનક જયંતિ નિમિત્તે કરેલ પોતાના પ્રજાજોગ સંબોધનમાં ખેડૂતોની વાત કરી હતી અને ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનું એલાન કર્યું કર્યું હતું. PM મોદીએ કહ્યું કે, આગામી સંસદ સત્રમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર આ માટે એક સમિતિની રચના કરશે. તેમણે કહ્યું કે અમારા પ્રયાસો છતાં અમારી સરકાર ખેડૂતોના વિરોધને સમજી શકી નથી.
आज मैं आपको, पूरे देश को, ये बताने आया हूं कि हमने तीनों कृषि कानूनों को वापस लेने का निर्णय लिया है।
इस महीने के अंत में शुरू होने जा रहे संसद सत्र में, हम इन तीनों कृषि कानूनों को Repeal करने की संवैधानिक प्रक्रिया को पूरा कर देंगे: PM @narendramodi
આ કાયદો અમુક વસ્તુના મૂલ્યમાં સ્થિરતા લાવવામાં ખેડૂતો અને ગ્રાહકો બંનેને મદદ કરશે
બજારનું વાતાવરણ હરિફાઈવાળું બનશે પાક નુકસાનીમાં ઘટાડો થશે
નવા કૃષિ કાયદામાં શું હતું? - ખેડૂતોનો વિરોધ કેમ હતો?
કંપનીઓ માટે MSP નહતી - ખાનગી કંપનીઓ માટે પણ MSP જરૂરી
ખેડૂત માલ APMC બહાર વેચી શકતા હતા - આ વાતથી કંપનીઓને ફાયદો થશે
કોન્ટ્રાક્ટ ફાર્મિગમાં લવાદ કલેક્ટર પાસે જ થશે - સરકારે કોર્ટોને કેમ બાકાત કરી?
માલની ખરીદી માટે કંપનીને લાયસન્સની જરૂર નહતી - સરકાર કંપનીઓને ખુલી છોડી રહી છે
આ હતો વિરોધ કરનારાઓનો તર્ક
ખેડૂતોને MSP નહીં મળે તેવો વિરોધ કરનારાઓનો મત હતો
રાજ્યોને આવકમાં નુકસાન થશે
ખેડૂત APMCની બહાર પાક વેચશે તો તેઓ ‘મંડી ફી’ વસૂલી શકશે નહીં
કૃષિ વેપાર જો મંડીઓની બહાર જતો રહે તો ‘કમિશન એજન્ટો’નું શું થશે?
આવું થયા બાદ ધીમે ધીમે MSP પર પાકની ખરીદી બંધ કરી દેવાશે
ઈ-નેમ જેવી ઇલેકટ્રોનિક વેપારપ્રણાલીનું આખરે શું થશે?
‘અસાધારણ પરિસ્થિતિઓ’માં કિંમતોમાં જબરદસ્ત વધારો થશે
કિંમતોમાં વધારો બાદમાં નિયંત્રિત કરવાનું મુશ્કેલ બનશે
મોટી કંપનીઓ પાસે અમુક પાકનો વધારે સ્ટૉક રાખવાની ક્ષમતા હશે
કંપનીઓ ખેડૂતોને કિંમતો નક્કી કરવા માટે મજબૂર કરશે
વિરોધ કરતા ખેડૂતોને ખેતરમાં પરત ફરવાની કરી અપીલ
હું દેશવાસીઓની માફી માંગુ છું કે અમારા પોતાના પ્રયાસોમાં થોડીક ઉણપ રહી હશે. પીએમએ વિરોધ કરી રહેલા ખેડૂતોને કહ્યું કે ગુરપુરબના અવસર પર તમે તમારા ઘર અને ખેતરમાં પાછા ફરો.
નાના ખેડૂતો માટે કૃષિ કાયદા લાવ્યા હોવાની કરી વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'ખેડૂતોની સ્થિતિ સુધારવા માટેના મહાન અભિયાનમાં ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. તેનો હેતુ એ હતો કે નાના ખેડૂતોને વધુ શક્તિ મળવી જોઈએ અને તેઓને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળવા જોઈએ. વર્ષોથી દેશના કૃષિ નિષ્ણાતો, સંગઠનો અને વૈજ્ઞાનિકો આ માંગ કરી રહ્યા હતા. ભૂતકાળમાં પણ ઘણી સરકારોએ મંથન કર્યું હતું. આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ. દેશના ખૂણે ખૂણે, વિવિધ ખેડૂત સંગઠનોએ સ્વાગત કર્યું અને ટેકો આપ્યો. આજે તેમના સમર્થન માટે હું તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.
પ્રજાજોગ સંબોધનના 5 મહત્વના મુદ્દા
1... PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે, મેં જે કાઈપણ કર્યું તે ખેડૂતો માટે કર્યું છે, જે કાઈ કરી રહ્યો છું તે પણ ખેડૂતો અને દેશવાસીઓ માટે કરવા જઈ રહ્યો છું. દેશવાસીઓના આશિર્વાદથી મેં મારી મહેનતમાં કોઈપણ પ્રકારની કસર છોડી નથી, આજે હું તમને આશ્વાસન આપું છું કે, વધુ મહેનત કરીશ જેથી તમારા અને રાષ્ટ્રના સપના પૂર્ણ કરી શકું.
2...પીએમ મોદીએ કહ્યું કે અમે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. તેની પ્રક્રિયા આ મહિને સંસદના આગામી સત્રથી શરૂ થશે. હું ખેડૂતોને અપીલ કરું છું કે તેઓ તેમના ઘરે પાછા ફરે અને નવેસરથી શરૂઆત કરે.
3... પીએમે કહ્યું કે અમે ખેડૂતોને સસ્તા ભાવે બીજ આપવાનું કામ કર્યું. સૂક્ષ્મ સિંચાઈ સાથે સિંચાઈ યોજનાઓ શરૂ કરી. 22 કરોડ સોઈલ હેલ્થ કાર્ડ બનાવવામાં આવ્યા હતા... આ બધું કૃષિ ઉત્પાદન વધારવા માટે કરવામાં આવ્યું હતું. તે જ સમયે, અમે પાક વીમા યોજના શરૂ કરી અને તે હેઠળ ખેડૂતોને પણ જોડવામાં આવ્યા.
4... પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે ખેડૂતોને તેમની ઉપજની સંપૂર્ણ અને યોગ્ય કિંમત મળે તે સુનિશ્ચિત કરવા માટે ઘણાં પગલાં લીધાં છે. અમે ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું. અમે માત્ર MSP વધાર્યો જ નહીં પરંતુ સરકારી ખરીદીને પણ રેકોર્ડ ઊંચાઈએ લઈ જઈએ. અમારી સરકાર દ્વારા પાકની ખરીદીએ છેલ્લા દાયકાઓના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
5... પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું 2014માં વડાપ્રધાન બન્યો ત્યારે અમારી સરકારની પ્રાથમિકતા ખેડૂતોનું કલ્યાણ અને વિકાસ હતી. ઘણા લોકો અજાણ છે કે દેશના 100 માંથી 80 ખેડૂતો નાના પાયાના છે અને તેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. આ ખેડૂતોની વસ્તી 10 કરોડથી વધુ છે અને તેમની આજીવિકા પણ આ જમીન છે. વડા પ્રધાને પછી દેહ સિવા બરુ મોહિ ઇહાઈ સુભ કર્મન તે કહૂં ના તોરોં સાથે તેમનું ભાષણ સમાપ્ત કર્યું, જે ગુરુગોવિંદ સિંહની રચના દસમ ગ્રંથના ચંડી ચરિતરનો એક શબ્દ છે.