ત્રણ કૃષિ કાયદાને Farm Laws Repeal Bill, 2021 લોકસભામાં પાસ કરવામાં આવ્યું છે.
લોકસભા કૃષિકાયદાની વાપસીનું બિલ પસાર
ત્રણેય કૃષિકાયદાની વાપસીનું બીલ લોકસભામાં પસાર
વિપક્ષે બીલ પર ચર્ચાની માગ સાથે કર્યો હોબાળો
હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
છેલ્લા એકવર્ષથી દિલ્હીની સરહદો પર અડિંગો જમાવીને કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખીને મોદી સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. જેને લઈને આજે સંસદમાં Farm Laws Repeal Bill, 2021 કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જે પાસ થયું છે. જો કે, આ બિલને લઈને વિપક્ષોએ ચર્ચા કરવાની માગણી કરી હતી અને હોબાળો મચાવ્યો હતો.
સદનમાં હોબાળો થતાં જ રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે.
PM મોદીએ સાંસદોને કરી હતી અપીલ
સંસદના શિયાળુ સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે.સરકારની નીતિ વિરૂદ્ધ અવાજો ઉઠ્યા પરંતુ સદન અને અધ્યક્ષની ગરિમાનો ખ્યાલ રાખીએ. તેમણે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, અમે ઈચ્છીશું, દેશ ઈચ્છશે કે ભારતની સંસદ આ સત્ર અને આવનારા તમામ સત્ર,આઝાદીના લડવૈયાઓની ભાવનાને અનુકૂળ દેશહિતમાં ચર્ચા કરે. દેશની પ્રગતિ માટે રસ્તાઓ ખોલે. જો કે, વિપક્ષે પ્રધાનમંત્રી મોદીની આ અપીલ સ્વીકારી નહોંતી.
Union Agriculture Minister Narendra Singh Tomar tables the Farm Laws Repeal Bill 2021 amid sloganeering by Opposition MPs in Lok Sabha
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું-સંસદનું આ સત્ર ખૂબ જ મહત્વનું છે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, હિન્દુસ્તાનની ચારેય દિશાઓમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રચનાત્મક, સકારાત્મક,જનહિત, રાષ્ટ્રહિત માટે, સામાન્ય નાગરિકો માટે અનેક કાર્યક્રમો કરી રહ્યા છીએ. આઝાદીના લડવૈયાઓએ જે સપના જોયા હતા, તેમના સપનાઓ પૂર્ણ કરવા માટે દેશના સામાન્ય નાગરિકો પણ કોઈ દાયિત્વ નિભાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વાત આપણા ભારતના ઉજ્જળ ભવિષ્ય માટે શુભ સંકેત છે.
સદનની ગરિમાનું ધ્યાન રાખવાની કરી અપીલ
વધુમાં જણાવ્યું હતું કે, બંધારણ દિવસ નિમિત્તે એક નવા ઠરાવ સાથે સમગ્ર દેશે બંધારણની ભાવનાને પરિપૂર્ણ કરવાની દરેકની જવાબદારી અંગેનો ઠરાવ કર્યો છે. ભવિષ્યમાં સંસદ કેવી રીતે ચલાવવી, તમે કેટલું સારું યોગદાન આપ્યું, કેટલું સકારાત્મક કાર્ય થયું, તે માપદંડ પર તોલવું જોઈએ. માપદંડ એ ન હોવો જોઈએ કે આટલા બળથી સત્ર કોણે રોક્યું. સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા તૈયાર છે. સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવો પણ ગૃહ અને સ્પીકરની ગરિમાનું ધ્યાન રાખો.
નવા વેરિયન્ટથી સતર્ક રહેવાની કરી અપીલ
કોરોના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગત સત્રમાં કોરોના બાદ 100 કરોડ વેક્સિનેશન કર્યું હવે 150 કરોડ તરફ આગળ વધી રહ્યા છીએ. નવો વેરિયન્ટ પણ ડરાવી રહ્યો છે, જેનાથી સતર્ક રહીએ.