કૃષિ કાયદા રદ કરતું Farm Laws Repeal Bill 2021 હવે રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે. આમ હવે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાંથી કૃષિ કાયદા રિપિલ બિલ પાસ થઈ ગયું છે.
કૃષિ કાયદા રદ કરતું બિલ રાજ્યસભામાં પણ થયું પસાર
આજે સવારે લોકસભામાં પણ થયું હતું પસાર
સંસદમાં આજે પ્રથમ દિવસે જ મચ્યો હતો ભારે હોબાળો
છેલ્લા એક વર્ષથી દિલ્હીની સરહદો પર અડિંગો જમાવીને કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખીને મોદી સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. જેને લઈને આજે સંસદમાં Farm Laws Repeal Bill, 2021 કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જે પાસ થયું છે. જો કે, આ બિલને લઈને વિપક્ષોએ ચર્ચા કરવાની માગણી કરી હતી અને હોબાળો મચાવ્યો હતો.
આજે સવારે લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે.
Amid ruckus in Upper House, the Farm Laws Repeal Bill 2021 passed in Rajya Sabha pic.twitter.com/m4JqZPeOCi
આજે સદનમાં હોબાળો થતાં જ રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. બાદમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા Farm Laws Repeal Bill 2021 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
PM મોદીએ સાંસદોને કરી હતી અપીલ
સંસદના શિયાળુ સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે.સરકારની નીતિ વિરૂદ્ધ અવાજો ઉઠ્યા પરંતુ સદન અને અધ્યક્ષની ગરિમાનો ખ્યાલ રાખીએ. તેમણે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, અમે ઈચ્છીશું, દેશ ઈચ્છશે કે ભારતની સંસદ આ સત્ર અને આવનારા તમામ સત્ર,આઝાદીના લડવૈયાઓની ભાવનાને અનુકૂળ દેશહિતમાં ચર્ચા કરે. દેશની પ્રગતિ માટે રસ્તાઓ ખોલે. જો કે, વિપક્ષે પ્રધાનમંત્રી મોદીની આ અપીલ સ્વીકારી નહોંતી. અને સત્રના પ્રથમ દિવસે જ ભારે હોબાળો મચાવ્યો હતો.
સદનની ગરિમાનું ધ્યાન રાખવાની કરી અપીલ
વધુમાં જણાવ્યું હતું કે, બંધારણ દિવસ નિમિત્તે એક નવા ઠરાવ સાથે સમગ્ર દેશે બંધારણની ભાવનાને પરિપૂર્ણ કરવાની દરેકની જવાબદારી અંગેનો ઠરાવ કર્યો છે. ભવિષ્યમાં સંસદ કેવી રીતે ચલાવવી, તમે કેટલું સારું યોગદાન આપ્યું, કેટલું સકારાત્મક કાર્ય થયું, તે માપદંડ પર તોલવું જોઈએ. માપદંડ એ ન હોવો જોઈએ કે આટલા બળથી સત્ર કોણે રોક્યું. સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા તૈયાર છે. સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવો પણ ગૃહ અને સ્પીકરની ગરિમાનું ધ્યાન રાખો.