ખેડૂત આંદોલનનો આજે 21મો દિવસ છે ત્યારે ચીફ જસ્ટિસ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામસુબ્રમણ્યમની બેંચે આજે આંદોલન મુદ્દે થયેલ અરજીના સંદર્ભમાં સુનાવણી દરમિયાન ખેડૂત સંગઠનો, રાજ્યોની સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી અને આ આંદોલનનો ઝડપથી ઉકેલ લાવવા માટે સરકારને આદેશ કર્યો હતો.
ખેડૂત આંદોલનનો 21મો દિવસ
કોર્ટે રાજ્યોની સરકાર અને કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ
આંદોલનનો ઉકેલ લાવવા માટે કેન્દ્રને આપ્યો આદેશ
જલ્દીથી ઉકેલ લાવો નહીંતર રાષ્ટ્રીય મુદ્દો બની જશે : SC
સુપ્રીમ કોર્ટે SG તુષાર મહેતાને કહ્યું હતું કે આ મામલાને ઉકેલવા માટે જલ્દીથી એક કમિટીનું ગઠન કરો જેમાં દેશના વિવિધ ખેડૂત સંગઠનો, સરકાર અને અન્ય નિષ્ણાતો હોય. કારણ કે જો આ મુદ્દાને હાલ ઉકેલવામાં નહીં આવે તો આ રાષ્ટ્રીય મુદ્દો બની જશે અને ત્યાર બાદ સરકાર હાથમાં પરિસ્થિતિ નહીં રહે.
ખેડૂત સંગઠનો સહિત રાજ્યોની સરકાર અને કેન્દ્ર સરકારને સુપ્રીમની નોટિસ
કોર્ટે કહ્યું છે કે તેઓ ખેડૂત સંગઠનોની વાત સાંભળશે, અને સરકારને પણ પૂછ્યું હતું કે, હજી સુધી સમજૂતી કેમ થઈ નથી. હવે કોર્ટ વતી ખેડૂત સંગઠનોને નોટિસ આપવામાં આવી છે, કોર્ટનું કહેવું છે કે આવા મુદ્દાઓનું વહેલી તકે સમાધાન કરવામાં આવે. કોર્ટે સરકાર અને ખેડુતોના પ્રતિનિધિઓની કમિટી બનાવવાનું કહ્યું છે, જેથી બંને એકબીજાને આ મુદ્દે ચર્ચા કરી શકે. આ સાથે કોર્ટે પંજાબ, હરિયાણા અને કેન્દ્ર સરકારને પણ નોટિસ ફટકારી છે.
A Bench of Chief Justice SA Bobde and Justices AS Bopanna and V Ramasubramanian grants permission to implead farmer organisations. The matter will be heard in the Supreme Court tomorrow. https://t.co/eWtZjY9rjd
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું કે તમે ઇચ્છો છો કે સરહદો ખોલવામાં આવે? જેના પર વકીલે કહ્યું કે અદાલતે શાહીન બાગ કેસ દરમિયાન કહ્યું હતું કે રસ્તાઓ જામ ન થવા જોઈએ. શાહીન બાગને વારંવાર ટાંકીને મુખ્ય ન્યાયાધીશે વકીલને અટકાવતાં કહ્યું કે કેટલા લોકોએ ત્યાંનો રસ્તો અટકાવ્યો? કાયદો અને વ્યવસ્થાના કેસોમાં દાખલો આપી શકાતો નથી. મુખ્ય ન્યાયાધીશે સુનાવણી દરમિયાન પૂછ્યું કે શું આ કેસમાં ખેડૂત સંગઠનોને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
After the counsel appearing for petitioner mentions Shaheen Bagh case to remove farmers from Delhi borders, Chief Justice of India says, there cannot be a precedent in law and order matter https://t.co/J51ZcIQVeq
દિલ્હીની સરહદ પર ખેડૂત આંદોલનને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. અરજદાર વતી શાહીન બાગ કેસ સુપ્રીમ કોર્ટમાં ટાંકવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ એક મહત્વપૂર્ણ વિષય છે. સોલિસિટર જનરલે અદાલતમાં અપીલ કરી છે કે હરીશ સાલ્વે આવા જ એક કેસમાં દલીલ કરવા માંગે છે. જો કે ન્યાયાધીશે ચર્ચામાં હરીશ સાલ્વેનો સમાવેશ કરવાનો ઇનકાર કર્યો હતો.
#WATCH | नोएडा: कृषि कानूनों के विरोध में प्रदर्शन कर रहे किसानों ने चिल्ला बॉर्डर पर दिल्ली की तरफ जा रहे नोएडा लिंक रोड को ब्लॉक किया। pic.twitter.com/NDlWUszFrk
ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી અને નોઈડા બોર્ડર બંધ કરી છે. સુપ્રીમમાં આજે સુનાવણી થાય તે પહેલાં ખેડૂતોએ પોતાના આંદોલનને ઉગ્ર બનાવ્યું છે. થોડા દિવસ પહેલાં આ બોર્ડર ખોલાઈ હતી અને આજે ફરી બંધ કરી છે.
यातायात अपडेट
नॉएडा-दलित प्रेरणा स्थल से DND टोल मार्ग पर यातायात का डायवर्जन किया गया।
यातायात हेल्पलाइन न0- 9971009001 pic.twitter.com/7IDII8JOjl
કોંગ્રેસ નેતા નવજ્યોત સિંહ સિદ્ધુએ એક વાર ફરી કૃષિ કાયદાના મુદ્દાને નિશાન બનાવ્યું છે. સિદ્ધુએ વીડિયો ટ્વિટ કરીને કહ્યું કે ઈન્શ્યોરન્સના નામે ખેડૂતને લૂંટવાનું કામ થઈ રહ્યું છે અને કંપનીઓને સીધો નફો થઈ રહ્યો છે. પહેલા પણ સરકારી કંપની ઈન્શ્યોરન્સ કરતી હતી ત્યારે ખેડૂતોને ફાયદો થતો હતો.
Farmers know well that the Central Govt. backed Corporate take-over of Indian Agriculture is growing rapidly, Crop Insurance Companies have replaced Govt. Insurance... Looting Farmers & State exchequer with high premiums and negligible payments for Crop Failure. #IndiaWithFarmerspic.twitter.com/7Aup6qomot
કૃષિ કાયદાને લઈને ખેડૂતો અને સરકારમાં વાતચીત ચાલુ છે પરંતુ ખેડૂતો તેમની માંગ પર કાયમ છે તો સરકારે પણ કહ્યું છે કે તેઓ કોઈ પણ કિંમતે કાયદો પાછો લેશે નહીં. દિલ્હી બોર્ડર પર 20 દિવસથી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો હવે અહીં જ આંદોલન કરશે કે તેમની જગ્યા બદલાશે તે આજે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આધારે નક્કી કરાશે.
આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી
કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં થઈ રહેલા ખેડૂત આંદોલનને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ છે. આજે કોર્ટ આ મુદ્દે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ એ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામસુબ્રમણ્યમની બેંચ સુનાવણી કરશે. અરજીમાં દિલ્હી બોર્ડર પરથી ખેડૂતોને હટાવવાની માંગ કરાઈ છે અને લોકોના એકઠા થવાથી કોરોના સંક્રમણનો ખતરો વધવાની આશંકા પણ છે. માટે અરજીમાં કહેવાયું છે કે લોકોને અહીંથી હટાવવામાં આવે કેમકે તેઓ સડક બ્લોક કરી રહ્યા છે. ઈમરજન્સી અને મેડિકલ સર્વિસ પણ પ્રભાવિત થઈ રહી છે.
ઋષભ શર્માએ કરી છે અરજી
કાયદાનો અભ્યાસ કરી રહેલા ઋષભ શર્માએ અરજી કરી છે અને કહ્યું છે કે પ્રદર્શનકારીને સરકાર દ્વારા નક્કી સ્થાન પર મોકલવામાં આવે. પ્રદર્શનમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું પાલન કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 દિવસથી દિલ્હી બોર્ડર પર ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે અને સરકાર સંશોધન પ્રસ્તાવ આપી રહી છે. ખેડૂતો સરકારની વાત નકારી રહ્યા છે અને આંદોલનની ગતિ પણ વધારી રહ્યા છે. બુધવારે એટલે કે આજે તેઓએ દિલ્હી નોઈડાને જોડનારી ચિલ્લા બોર્ડરને પણ બ્લોક કરવાની ચેતવણી આપી છે.
ખેડૂત સંગઠનોએ કહી આ વાત
ખેડૂત સંગઠનનું કહેવું છે કે સરકાર બહારથી આવનારા લોકોને અંદર ઘૂસવા દેતી નથી અને સાથે ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવવા ઈચ્છે છે તો સરકાર તેમને રોકી રહી છે. સરકાર ખેડૂતોની વાત સાંભળતી નથી. ખેડૂતોએ કહ્યું કે આ સરકાર અંબાણી અને અદાણીની સરકાર છે. અમે તેમના ઈરાદામાં તેમને સફળ નહીં થવા દઈએ.