નવા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન વધુને વધુ જોર પકડતું હોય તેવું લાગે છે. ખેડૂત સંગઠનોએ સરકારના સંશોધનના પ્રસ્તાવને ફગાવી દીધો છે. ત્યારબાદ હવે ખેડૂતોએ આંદોલનને ઉગ્ર બનાવવાનો પ્લાન તૈયાર કર્યો છે.
ખેડૂત આંદોલન બન્યુ વધુ આક્રમક
સરકારના 19 પાનાનો પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવ્યો
ખેડૂતોનો આંદોલન ઉગ્ર બનાવવાનો પ્લાન
સરકારનો પ્રસ્તાવ ફગાવ્યા બાદ ખેડૂત નેતાઓની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ વખતે ખેડૂતો દિલ્હી-ઉત્તર પ્રદેશ હાઈવે અને રાજસ્થાન હાઇવે બંધ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ સિવાય દિલ્હીમાં પણ નાકાબંધી કરવામાં આવી હોવાના સમાચાર છે. આપને જણાવી દઇએ કે, સરકારે ખેડૂતો સમક્ષ 9 મુદ્દાની દરખાસ્ત કરી હતી. આ ડ્રાફ્ટ 13 સંસ્થા નેતાઓને મોકલવામાં આવ્યો હતો.
ખેડૂત નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દિલ્હી અને આજુબાજુના રાજ્યોમાંથી 'દિલ્હી ચલો'નો હુંકાર કરવામાં આવશે. અન્ય રાજ્યોમાં પણ ધરણા અનિશ્ચિત સમય માટે ચાલુ રાખવામાં આવશે. ખેડૂત નેતા ડો દર્શન પાલે જણાવ્યું હતું કે, જયપુર-દિલ્હી હાઇવે 12 ડિસેમ્બર સુધી ચક્કાજામ કરાશે. ખેડૂત નેતાઓએ વધુમાં કહ્યું હતું કે રિલાયન્સ જિઓના ઉત્પાદનોનો બહિષ્કાર કરાશે અને દેશભરમાં રહેલા ભાજપના નેતાઓઓનો ઘેરાવો કરવામાં આવશે. આજથી ખેડૂત આંદોલન દેશભરમાં વધુ તેજ બનશે...
ખેડૂતોનો આંદોલન ઉગ્ર બનાવવાનો પ્લાન
12 ડિસેમ્બરથી ખેડૂતો માર્ગો પર ચક્કાજામ કરશે
ડિસેમ્બરે તમામ ટોલ પ્લાજા ફ્રી કરાવશે ખેડૂતો
સરકારના મંત્રીઓ અને નેતાઓનો ઘેરાવો કરશે ખેડૂતો
દિલ્હી-જયપુર અને દિલ્હી-આગ્રા માર્ગ કરશે સીલ
14 ડિસેમ્બરે દેશભરમાં ધરણા પ્રદર્શન કરશે ખેડૂતો
દિલ્હીના રોડ પર કરશે ચક્કાજામ
સમગ્ર દેશમાં આંદોલન તેજ કરશે
સરકારના મંત્રીઓનો ઘેરાવો થશે
ભાજપની ઓફિસનો ઘેરાવ થશે
તમામ જિલ્લા ભાજપ કાર્યાલયોના ઘેરાવની વ્યૂહરચના
કૃષિ કાયદાઓને પરત ન લે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે