હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે જો તેઓ ખેડૂતો માટે ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય (MSP)ની ગેરેન્ટી સુનિશ્ચિત ન કરી શકયા તો રાજનીતિમાંથી સંન્યાસ લઇ લઇશ. BJP નેતા અને મુખ્યમંત્રી ખટ્ટર ત્રણ કૃષિ કાયદાને પર લેવાની માગ કરી રહેલા ખેડૂતોના વિરોધનો રાજ્યમાં સામનો કરી રહ્યાં છે.
CM ખટ્ટરે કહ્યું કે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સત્તાધારી પક્ષને હરિયાણાને પાંચ નગર નિગમ ચૂંટણી (Hariyana Municipal Election) માં ત્રણમાં હારનો પરાજય સામનો કરવો પડ્યો છે. ANIએ હરિયાણાના મુખ્યમંત્રીના હવાલાથી કહ્યું કે અમે MSP ચાલુ રાખવાના પક્ષમાં છે અને કોઇએ આ વ્યવસ્થાને ખત્મ કરવાનો પ્રયાસ કર્યો તો તેઓ રાજકારણ છોડી દેશે.
હરિયાણાના ઉપ મુખ્યમંત્રી અને જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ પણ આ મહિને પણ નિવેદન આપ્યું હતું. ચૌટાલાએ કહ્યું હતું કે જ્યાં સુધી હું સત્તામાં ચું, ત્યાં સુધી ખેડૂતો માટે પાક પર MSP સુનિશ્ચિત કરાવીશ.
જે દિવસે આવું કરવામાં હું નિષ્ફળ રહ્યો, તે દિવસે પદ પરથી રાજીનામું આપી દઇશ. મેયરની ત્રણ ચૂંટણીમાં બેમાં સત્તારુઢ ગઠબંધનને હિસારના ઉકલાના અને રેવાડીના ધારુહેરામાં મળી છે. આ બંનેનો ચૌટાલાની પાર્ટી જેજેપીનું ગઢ માનવામાં આવે છે. સત્તાધારી દળ સોનીપત અને અંબાલામાં મેયરની ચૂંટણી પણ હારી ગયા છે.
પોતાના પરાજય પર અંબાલાથી ભાજપના ધારાસભ્ય અસીમ ગોયલે કહ્યું હતું કે સંભવતઃ દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની ચૂંટણી પર અસર પડી છે. ગોયલે કહ્યું કે, સરકાર જ્યારે સારુ કામ કરે છે, તો દરેક એકજૂટ થઇને લક્ષ્ય મેળવવા કરતા રોકવાનો પ્રયત્ન કરે છે.
હરિયાણામાં પણ એવું જ થઇ રહ્યું છે. તેનો એજન્ડો બેમતલબ છે, તેમનો કોઇ વાસ્તવિક લક્ષ્ય નથી, તેઓ ભાજપને રોકવા ઇચ્છે છે. તેમનું માનવુ છે પહેલા ભાજપનો સામનો કરો અને આંતરિક મતભેદ પછી ઉકેલવામાં આવશે.