હાલ મોદી સરકારના કૃષિ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે અને છેલ્લા 9 દિવસથી ખેડૂતોએ દિલ્હી વિરોધ પ્રદર્શન માટે દિલ્હીને ઘેરી વળ્યા છે સરકાર વાટાઘાટોથી આ સમસ્યાનું સમાધાન લાવવા મરણિયા બનીને પ્રયાસો આદર્યા છે ત્યારે કર્ણાટકના કૃષિ મંત્રીએ વિવાદાસ્પદ નિવેદન આપતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આપઘાત કરનારા ખેડૂતો બીકણ છે
શું કહ્યું કર્ણાટકના કૃષિમંત્રીએ?
કોંગ્રેસ કર્યો વિરોધ
કર્ણાટકના કૃષિ મંત્રી બી. સી. પાટિલે બફાટ કર્યો હતો અને કહ્યું હતુ કે, આપઘાત કરનારા ખેડૂતો બીકણ છે. તેમના આ નિવેદનથી ભારે વિવાદ થયો છે. દેશમાં હાલ કૃષિ સુધારાના વિરોધમાં હજારો ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર તેમની સાથે મંત્રણા કરી રહી છે તેવા સમયે જ ખેડૂતો માટે એલફેલ ઉચ્ચારણોથી ભાજપ પક્ષના નેતાઓ પણ ક્ષોભજનક હાલતમાં મૂકાયા છે.
શું કહ્યું કર્ણાટકના કૃષિમંત્રીએ?
બી. સી. પાટિલે કહ્યું હતું કે આપઘાત કરનારા ખેડૂતો બીકણ છે. ડરપોક લોકો જ પોતાની પત્ની અને બાળકોની ચિંતા કર્યા વિના આપઘાત કરે છે. આપણે પાણીમાં ડૂબતા હોઇએ તો આપણે તરીને બહાર નીકળવું જોઇએ એમ તેમણે કર્ણાટકના કોડાગુ જિલ્લીના પોન્નામપેટમાં ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું. પાટિલ ખેડૂતોને સમજાવી રહ્યા હતા કે ખેતી કેટલો નફાકારક વ્યવસાય છે. આમ છતાં પપણ કેટલાક બીકણ લોકો તે સમજી શકતા નથી અને આપઘાત કરી બેસે છે એમ તેમણે કહ્યું હતું.
કોંગ્રેસ કર્યો વિરોધ
પાટિલના નિવેદનની ટીકા કરતાં કર્ણાટક કોંગ્રેસે જણાવ્યું હતું કે મંત્રીનું નિવેદન ખેડૂત સમુદાય માટે અપમાનકારક છે. તેમણે આ માટે માફી માગવી જોઇએ. મંત્રીએ આવાં નિવેદન કરવાને બદલે ખેડૂતોએ આપઘાત શા માટે કરવો પડે છે તેનાં કારણો તપાસવાં જોઇએ. ખેડૂતોને સિંચાઇ, વીજળી સહિતના પ્રશ્નો નડે છે, પાકના યોગ્ય ભાવ નથી મળતા તેથી તેઓ દેવામાં ઉતરી જાય છે. આ પ્રશ્નોનો હલ કરવાને બદલે મંત્રી બેફામ વાણીવિલાસ કરી ખેડૂતોના ઘા પર મીઠું ભભરાવી રહ્યા છે.