8મી ડિસેમ્બરના ખેડૂતોના બંધને ગુજરાતના ખેડૂત સંગઠનો, આપ અને કોંગ્રેસનો પૂરો સપોર્ટ મળી રહ્યો છે ત્યારે આજે ખેડૂતોના સમર્થનમાં દેખાવો કરી રહેલા આપ અન કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.
ભારત બંધના સમર્થનને લઇ મોટા સમાચાર
ભારત બંધના ખેડૂતના કોલને ગુજરાત કોંગ્રેસનું સમર્થન
MLA અશ્વિન કોટવાલ, નૌશાદ સોલંકીનુ નિવેદન
ખેડૂત આંદોલનને સમર્થન આપ્યુ
દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ કાયદાનો 11 દિવસથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ 8 તારીખે કેન્દ્રીય કૃષિ કાયદામાં ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે રાજ્યના વિવિધ ખેડૂત અગ્રણીઓ આજે થલતેજ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યના વિવિધ 17 જેટલા ખેડૂત સંગઠનો હાજર રહીને ખેડૂત સઘર્ષ સમિતિની રચના કરીને 8 તારીખના ભારતના બધના એલાનને સમર્થમ માટે 8 તારીખે ગુજરાત બંધ પાણીને સમર્થન અંગે રૂપરેખા નક્કી કરવામાં આવી હતી.
આજે યોજયેલી ખેડૂત અગ્રણી બેઠકમાં 8 તારીખે ભારત બંધ સામે ગુજરાત બંધનું એલાન કરીને મજદૂરો શ્રમિકો અને તમામ લોકોને ગુજરાત બંધના આહવાન અંગે આમંત્રણ આપ્યું છે. તેમજ રાજ્યના વિવિધ સ્થળોએ ગુજરાતના ખેડૂતો 10 તારીખે ધરણા દ્વારા વિરોધ કરવાનો અને 11તારીખે ગાંધીનગર ખાતે ખેડૂત સંસદ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના કૃષિ નિષ્ણાતો, સહકારી આગેવાન,ખેડૂતો આગેવાન સહિતના સાથે કાયદાના અંતર્ગત વિચાર વિમર્શ કાર્યક્રમ આપીને કાયદાનો વિરોધ કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી. તેમજ 12 તારીખે ખેડૂતો સાથે દિલ્લી કુચ કરવાની રણનીતિ ઘડવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન દ્વારા ટેકો જાહેર કરીને 35 યુનિયન સહકાર આપીને ખેડૂત આંદોલનને સમર્થન જાહેરાત કરી છે.
સુરતમાં આમ આદમી પાર્ટીનો દેખાવો
ગોપાલ ઈટાલિયા સહિતના લોકોએ ખેડૂતોને સમર્થન આપવા વિરોધ પ્રદર્શન કર્યુ હતુ ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આપના કાર્યયકરોને મને ડિટેઈન કરવામાં આવ્યા હતા. AAPના કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. ભાજપ કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો.
કોંગ્રેસનું ખેડૂતનો આંદોલન સમર્થન
ભારત બંધના સમર્થનને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત બંધના ખેડૂતના કોલને ગુજરાત કોંગ્રેસનું સમર્થન સાંપડ્યુ છે. MLA અશ્વિન કોટવાલ અને નૌશાદ સોલંકીનુ નિવેદન સામે આવ્યું છે. જેમાં અશ્વિન કોટવાલે જણાવ્યું હતુ કે, 8 તારીખે મારા વિસ્તારનો હાઇવે ખેડૂતો સાથે બંધ કરીશું. રાજસ્થાન અને ગુજરાતને જોડતો હાઇવે હું બંધ કરાવીશ. ભારત બંધના એલનમાં હું યોગદાન આપીશ. 8મી તારીખે અમે રોડ- રસ્તા બંધ કરીશું. કોંગ્રેસનો કાર્યકર રસ્તા ચક્કાજામ કરશે.
ત્યારે વિરોધ કરી રહેલા ખેડૂતોએ આપેલ ભારત બંધના એલાનને કોંગ્રેસ સહિત કેટલીય પાર્ટીઓએ પોતાનું સમર્થન આપ્યું છે. આ અંગેની જાણકારી કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ આપી હતી.
અન્ય રાજ્યોના ખેડૂતોએ પણ કર્યું સમર્થન
માધ્યમો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે પાર્ટી કાર્યલય પર પણ વિરોધ કરીશું. રાહુલ ગાંધીનું આ પગલુ ખેડૂતોના આંદોલનને વધુ મજબૂત કરશે. અમે તે સુનિશ્ચિત કરીએ છીએ કે, પ્રદર્શન સફળ રહેશે. જણાવી દઇએ કે, બીજા રાજ્યોના ખેડતોએ પણ ભારત બંધને પોતાનું સમર્થન આપ્યું છે. કર્ણાટકના ખેડૂતોએ પણ આ આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
આપ પાર્ટીએ આપ્યું સમર્થન
આમ આદમી પાર્ટીએ પણ ભારત બંધને પોતાનુ સમર્થન આપ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલના આહ્વાન પર તમામ રાજ્યોમાં આપના કાર્યકરો ખેડૂતોના ભારત બંધના સમર્થનમાં આવશે. દિલ્હીના રાજ્ય કન્વીનર ગોપાલ રાયે કહ્યું કે, આ લડત ખેડૂતોની નહીં પરંતુ દેશ માટે છે.
TRSએ ભારત બંધને કર્યું સમર્થન
બીજી તરફ, ટીઆરએસ દ્વારા 8 ડિસેમ્બરના રોજ ખેડૂતોના ભારત બંધના એલાનને પોતાનો ટેકો આપવાની જાહેરાત કરી છે. તેલંગણા રાષ્ટ્ર સમિતિએ રવિવારે કેન્દ્રના વિવિધ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ 8 ડિસેમ્બરે ભારત બંધને ટેકો આપ્યો છે.
દક્ષિણ ભારતમાં પણ કેટલાક પક્ષોએ ભારત બંધને આપ્યો ટેકો
બીજી તરફ, તામિલનાડુમાં વિરોધી પક્ષોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું સમર્થન કર્યું હતું. DMK, કોંગ્રેસ, CPI (M), CPI, VCK, MDMK અને સાથીઓએ ખેડૂતોના વિરોધને ટેકો આપ્યો છે.
ખેડૂતોનો હવે જવબા હા કે ના મા જોઈએ
વિજ્ઞાન ભવનમાં સરકાર અને ખેડૂત નેતાઓની વચ્ચે 5માં સ્તરની બેઠક પુરી થઈ ચૂકી છે. શનિવારે થયેલી બેઠક દરમિયાન અચાનક ખેડૂત નેતાઓએ મૌન ધારણ કરી લીધું છે. વિજ્ઞાન ભવનમાં ખેડૂત નેતાઓ તખ્તી લઈને બેસી ગયા છે. તેમનું કહેવું છે કે હવે જવબા હા કે ના માં જોઈએ.
9 ડિસેમ્બરે યોજાશે બેઠક
જ્યારે બેઠકના રુમમાંથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલ બહાર નિકળી ગયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાનુંસાર બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે આવતી 9 ડિસેમ્બરે હિતેસ્છુઓના અનુરોધ કરવા પર ખેડૂતો અને કેન્દ્ર સરકારોની વચ્ચે બેઠક થશે.
કેન્દ્ર સરકારે કહ્યું કે તે 9 ડિસેમ્બરે એક પ્રસ્તાવ મોકલશે
બેઠક ખતમ થયા બાદ વિજ્ઞાન ભવનથી બહાર આવેલા નેતાઓએ કહ્યું કે કેન્દ્ર સરકારે કહ્યું કે તે 9 ડિસેમ્બરે એક પ્રસ્તાવ મોકલશે. અમે અંદરોઅંદર આના પર ચર્ચા કરીશું. એ બાદ તે જ દિવસે બેઠક થશે. હકિકતમાં સરકાર સાથેની વાતચીત દરમિયાન ખેડૂતો ભડક્યા હતા. તેમણે કહી દીધું હતુ કે સરકાર માંગો પુરી કરે નહીં તો મીટિંગ છોડીને જતા રહીશું. બીજી તરફ કૃષિ મંત્રીએ ખેડૂતોને અપીલ કરતા કહ્યું કે તમે સિનિયર સિટીઝન અન બાળકોને ઘરે જવા માટે કહો.
ખેડૂતોના સમર્થનમાં દિલજીત દોસાંઝ પહોંચ્યા
પંજાબી સિંગર અને એક્ટર દિલજીત સિંહ દોસાંઝ શનિવારે સિંધુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મળવા માટે પહોંચ્યા હતા. ખેડૂતોની મુલાકાત બાજ દિલજીત દોસાંઝએ તેમને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે અમારી કેન્દ્રને એક જ અરજી છે કે મહેરબાની કરીને ખેડૂતોની માંગણીને પુરી કરે. અહીં તમામ લોકો શાંતિથી બેઠા છે અને સમગ્ર દેશ ખેડૂતોની સાથે છે. તેમણે કહ્યું કે તમને બધાને સલામ, ખેડૂતોએ એક નવો ઈતિહાસ રર્યો છે. આ ઈતિહાસ આવનારી પેઢીને સંભળાવવામાં આવશે. ખેડૂતોના મુદ્દાને કોઈ દ્વારા ફેરવવો ન જોઈએ.