રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહે 20 સપ્ટેમ્બરે રાજ્યસભામાં વિપક્ષના ભારે હંગામ અને નારેબાજીના કારણે કૃષિ બિલને પસાર કરવાને લઈને સ્પષ્ટીકરણ કર્યું છે. ઉપસભાપતિએ કહ્યું છે કે વિપક્ષના મત વિભાજનની માંગને માનવામાં આવી નથી કારણ કે સભામાં હંગામાના કારણે વ્યવસ્થા થઈ શકી ન હતી.
ઉપસભાપતિનો કૃષિ બિલને લઈને ખુલાસો
રાજ્યસભામાં ન કરાયું મતનું વિભાજન
સભામાં થયો હંગામો અને નારેબાજી
એક મીડિયા રિપોર્ટમાં જાણકારી મળી રહી છે કે હરિવંશ નારાયણે કહ્યું કે હું એક સંવૈધાનિક પદ પર છુ અને આ માટે ઔપચારિક ખંડન જાહેર કરી શકું નહીં. હું આ તથ્યોને તમારા ધ્યાનમાં લાવી રહ્યો છું અને તેને તમારા નિર્ણયને માટે તમારા વિવેક પર છોડું છું.
મત વિભાજન માટે 2 ચીજોની જરૂર
ઉપસભાપતિએ કહ્યું કે નિયમો અને ચલણ અનુસાર મત વિભાજન માટે 2 ચીજો જરૂરી છે. પહેલું કે વિભાજનની માંગ કરવામાં આવે અને એટલું મહત્વનું છે કે સભા વ્યવસ્થિત રીતે ચાલે. રાજ્યસભામાં 20 સપ્ટેમ્બરે વિપક્ષના હંગામાની વચ્ચે 3 કૃષિ બિલને ધ્વનિ મતથી પસાર કરાયા હતા.
સ્થિતિની સ્પષ્ટતા કરતાં તેઓએ વધુમાં કહ્યું તે અધ્યાદેશને અસ્વીકાર કરનારા પ્રસ્તાવ અને બિલને પ્રવર સમિતિમાં મોકલવાની માંગ કેકે રાગેશના સંશોધનને 1.07 મિનિટે સદનમાં ધ્વનિ મતથી નકારવામાં આવ્યું હતું. અનેક સભ્યો સીટ પર પણ ન હતા.
ઉપસભાપતિ હરિવંશે કહ્યું કે એક વીડિયોમાં પણ જોઈ શકાશે કે તેઓએ પોતાનો પ્રસતાવ રજૂ કર્યા બાદ મેં ગેલેરી તરફ જોયું તો તેઓ ત્યાં ન હતા. વિપક્ષનો દાવો છે કે ઉપસભાપતિ હરિવંશ નારાયણે મત વિભાજનને નકાર્યો અને સાથે ત્યારબાદ રાજ્યસભાનો બહિષ્કાર કર્યો.