કેન્દ્ર સરકાના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર છેલ્લા એક મહીના કરતા વધારાના સમયથી આંદોલન કરી રહ્યાં છે. ખેડૂત નેતા અને કેન્દ્ર સરકાર વચ્ચે કેટલાક તબક્કાઓની બેઠક યોજાઇ ગઇ છે પરંતુ હજુ સુધી કોઇ સમાધાન સામે આવ્યું નથી. સરકાર કાયદાને પરત લેવા તૈયાર નથી. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ હવે કાયદાને લઇને વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે.
ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી સંપત સિંહે ત્રણેય કેન્દ્રિય કૃષિ કાયદાઓને રદ્દ કરવાની વાત જણાવી છે. રવિવારે કેન્દ્ર સરકારને અપીલ કરતાં સંપત સિંહે કહ્યું કે તેઓ સોમવારના રોજ આંદોલનકારી ખેડૂતોની સાથે યોજનારી બેઠક પહેલા ત્રણેય કેન્દ્રીય કૃષિ કાયદાઓ રદ્દ કરી નાંખી.
ભાજપના નેતાએ કહ્યું કે આ બધા કાયદાઓ પરત ખેંચી લેવા જોઇએ અને MSP પર સરકાર દ્વારા પાકની ખરીદીની ગેરેંટી આપનારો નવો કાયદો તેના સ્થાન પર લાવવો જોઇએ.
સંપત સિંહે કહ્યું જ્યારે સરકાર આશ્વાસન આપી રહી છે કે MSP ચાલુ રહેશે, તો તેને લઇને કાયદો કેમ બનાવતી નથી. MSPને કાયદાકીય સ્વરૂપ આપવાથી ખેડૂતોને ભરોસો થઇ જશે કે સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવો પર પોતોના પાક વેંચી શકશે.
ભાજપ નેતાએ કહ્યું કે કેન્દ્ર કેન્દ્ર સરકારે ખેડૂતોને વિપક્ષી દળોની જેમ ન જોવા જોઇએ. તેમને રાજકીય પક્ષ માનવું ખેડૂતોનું અપમાન છે. સંપત સિંહે કહ્યું કે સરકારના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનું સૂત્ર 'જય જવાન જય કિસાન' ફરીથી યાદ કરવું જોઇએ.
ભાજપના એક અન્ય નેતાએ ખેડૂત આંદોલનની પ્રશંસા કરી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીરેન્દ્ર સિંહે આંદોલનકારી ખેડૂતોને પોતાનુ સમર્થન આપ્યું છે અને શુક્રવારના રોજ રોહતકના સાંપલામાં ખેડૂત નેતા છોટૂ રામની પ્રતિમાની પાસે એક દિવસ ધરણા પર ધર્યા છે.
બીરેન્દ્ર સિંહના દિકરા વૃજેન્દ્ર સિંહ ભાજપના સાંસદ છે. ભાજપ નેતાએ કહ્યું હું આંદોલનમાં સામેલ થઇ ગયો કારણ કે પહેલા એક ખેડૂત છે અને ત્યારબાદ એક રાજકીય નેતા છું. જેમ કે હું છોટુ રામના પરિવારનો છું, મારુ પહેલુ કર્તવ્ય ખેડૂતોની સાથે ઉભા રહેવાનું છે. મન સર છોટૂ રામ વિચાર મંચના સભ્યોએ ખેડૂતોનો અવાજ ઉઠાવવા અંગે કહ્યું કારણ કે તેમને લાગે છે કે ત્રણ નવા કાયદાઓ તેમના માટે હાનિકારક છે.
દિલ્હી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોના પ્રતિનિધિ મંડળ સાથે આજે સરકાર ફરી બેઠક કરશે. MSPની ગેરંટી અને કૃષિ કાયદો રદ્દ કરવાની માગ પર ખેડૂતો અડગ છે. ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે બેઠક પૂર્વે કહ્યું કે હજુ તો વાતચીતની શરુઆત થઇ છે. તાપમાન માઇનસમાં જતુ રહેશે તો પણ ખેડૂતો ઘરે નહીં જાય. ખેડૂત આંદોલનમાં 60 લોકોના મૃત્યું થયા છે.