દિલ્હી સરહદ પર ખેડૂત આંદોલનનો આજે 79માં દિવસ છે. રાકેશ ટિકૈતના નિવેદનથી ખેડૂત સંગઠનમાં નારાજગી જોવા મળી.
દિલ્હી સરહદ પર ખેડૂત આંદોલનનો આજે 79 દિવસ
ટિકૈતના નિવેદનને લઇને ખેડૂત સંગઠનમાં ટકરાવ
ટિકૈતે 2 ઓક્ટોબર સુધી આંદોલન કરવાની કરી હતી વાત
ખેડૂત આંદોલનને લઇને શું ખેડૂત સંગઠનોમાં અંતર વધી ગયું છે? શું રાકેશ ટિકૈતથી બાકીના ખેડૂત નેતાઓ નારાજ ચાલી રહ્યાં છે? ખેડૂત સંગઠનોના હાલમાં આવેલા નિવેદનથી એવું જ લાગી રહ્યું છે. જો કે મળતા અહેવાલ મુજબ રાકેશ ટિકૈતના 2 ઓક્ટોબર સુધીના આંદોલનના અલ્ટીમેટમવાળા નિવેદનને લઇને ખેડૂતો વચ્ચે નારાજગી ચાલી રહી છે.
રાકેશ ટિકૈતે હાલમાંજ 2 ઓક્ટોબર સુધી ખેડૂત આંદોલન ચલાવા અંગે વાત કરી હતી. એક મળતા રિપોર્ટ અનુસાર યૂનાઇટેડ ખેડૂત ફ્રંટે ટિકૈતના નિવેદનને લઇને કહ્યું કે જ્યાં સુધી સરકાર કાયદો પરત લેતી નથી, આંદોલન ચાલુ રહેશે. જો કે ખેડૂત નેતા ગુરનામ સિંહે રાકેશ ટિકૈત પર પ્રહાર કરતા કહ્યું કે આવા નિવેદનોથી મને માત્ર હસવું આવે છે. ગુરનામ સિંહે કહ્યું કે આ નિવેદન રાકેશ ટિકૈતનું અંગત નિવેદન છે અને ખેડૂતોના વલણ અનુસાર નથી. ગુરનામ સિંહે કહ્યું કે તેઓ સમજે છે કે કોના દબાણ હેઠળ ટિકૈતે આવું નિવેદન આપ્યું છે.
દિલ્હી-હરિયાણા સિંધુ બોર્ડર અને ટિકરી બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે 79 દિવસ છે. કૃષિ કાયદાને લઇને સરકાર અને ખેડૂતની વચ્ચે અત્યાર સુધી કોઇ વચ્ચેનો રસ્તો નીકળ્યો નથી. ગુરુવારના રોજ રાકેશ ટિકૈતે ટકોર કરતાં કહ્યું કે સરકાર તેમની સંપત્તિનું સાચુ આકલન કરાવી શકી નહીં.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે રાજસ્થાનના અલવરમાં કહ્યું, કેન્દ્ર સરકાર તેમની સંપત્તિનું સાચુ આંકલન કરી શકી નથી. તેમની સંપત્તિનું આંકલન માટે ટીમ દોડાવી પડશે. ટિકૈતે કહ્યું કે અમારી આગળની રણનીતિ હશે કે અનાજને ઓછી કિંમતમાં નહી વેચાણ થવા દઇએ. જે MSPછે તેના કરતા ઓછી કિંમતે ખરીદી નહી થાય. કિસાન મોરચાએ નક્કી કરી લીધુ છે કે વેપારી ભૂખ પર કિંમત નક્કી ન કરી શકાય. આમ જનતાની અનાજ અને રોટી તિજોરીમાં બંધ નહીં થાય.
જ્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે ગુરુવારના રોજ કહ્યું હતું કે સરકાર ગાલ ગભરાઇ ગઇ છે કે ખેડૂત આંદોલનનું પરીણામ આગામી ચૂંટણીમાં જોવા ન મળે. ભારતનો ખેડૂત સરકાર સામે વિરોધમાં ન ઉભો થાય જેના કારણે ટ્વિટરને આ આદેશ આપી રહ્યાં છે. સિબ્બલે કહ્યું કે જો ટ્વિટરને આવો નિર્દેશ દેવાનો છે તે બધા પર લાગુ થવો જોઇએ.
ઉલ્લેખનીય છે કે ખેડૂત સંગઠનોએ 18 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી 'રેલ રોકો' અભિયાનનું એલાન કર્યું છે. ખેડૂતોએ 2019માં પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની યાદમાં 14 ફેબ્રુઆરીના રોજ એક મીણબત્તી માર્ચ નિકાળવાનો નિર્ણય કર્યો છે.