હરિયાણા પોલીસનો એક જવાન ઉત્તરાખંડના હરિદ્વારામાં લુખ્ખા તત્વો સાથે થયેલી અથડામણમાં શહીદ થયા છે.
ફરીદાબાદ પોલીસ લૂંટના 4 કેસમાં બદમાશોનો પીછો કરતા હરિદ્વાર પહોંચી હતી
પોલીસે ત્રણ અસામાજિક ત્તત્વને ઝડપી પાડ્યા છે. જ્યારે એક ફરાર થઈ ગયો
હરિયાણા પોલીસે પોતાના આવવાની સૂચના હરિદ્વાર પોલીસને નથી આપી
પોલીસે ત્રણ અસામાજિક ત્તત્વને ઝડપી પાડ્યા છે. જ્યારે એક ફરાર થઈ ગયો
આ અથડામણ ગુરુવારની રાતે તે સમયે થઈ જ્યારે હરિયાણાની ફરીદાબાદ પોલીસ લૂંટના 4 કેસમાં બદમાશોનો પીછો કરતા હરિદ્વાર પહોંચી હતી. આ દરમિયાન એક ગુનેગારે ગોળી ચલાવી દીધી હતી. જેમાં એક જવાન શહીદ થયો છે. ત્યારે પોલીસે ત્રણ અસામાજિક ત્તત્વને ઝડપી પાડ્યા છે. જ્યારે એક ફરાર થઈ ગયો છે.
હરિયાણા પોલીસે પોતાના આવવાની સૂચના હરિદ્વાર પોલીસને નથી આપી
આ મામલાને લઈને ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હરિયાણા પોલીસે પોતાના આવવાની સૂચના હરિદ્વાર પોલીસને નથી આપી. સાથે કહ્યું કે હરિયાણા પોલીસે ચારેયની ધરપકડ કરી દીધી હતી. પરંતુ બેદરકારીના ચાલતા એક બદમાશે અચાનક પિસ્ટલ કાઢીને ફાયરિગ કરી દીધું. જેનાથી પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું છે. ડીજીપી અશોક કુમારના જણાવ્યાનુંસાર ફરાર બદમાશની શોધ કરવામાં આવી રહી છે.
એક લૂંટના મામલામાં હરિયાણા પોલીસ પહોંચી હતી હરિદ્વાર
હકિકતમાં હરિયાણા પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ટીમ ફરીદાબાદમાં થયેલી એક લૂંટના મામલામાં ફરાર આરોપીનું લોકેશન હરિદ્વાર મળવા પર પહોંચી હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ ટીમ હરિદ્વારના પંતદીપ પાર્કની પાસે રાતે લગભગ સાડા 10 વાગે બદમાશોને પકડવા આવી હતી. આ દરમિયાન બદમાશોએ ફાયરિંગ કરી દીધી. જેમાં ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ સંદીપ (38) ગોળી ચલાવવામાં આવી. ગોળી લાગ્યા બાદ પોલીસ ટીમ તેમને આનન -ફાનન હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરી દીધો.