રાજ્યસભામાં સોમવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો વિદાય સમારંભ યોજાઈ રહ્યો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, દેશને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો અનુભવ મળતો રહેશે. આપે તમામ ભૂમિકાઓ સારી રીતે નિભાવી. મેં આપને કેટલીય ભૂમિકામાં જોયા છે.
વેંકૈયા નાયડૂએ હંમેશા યુવાનોને માર્ગદર્શન આપ્યું
પીએમ મોદીએ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના વિદાય સમારંભમાં તેમના પુસ્તકનો ઉલ્લેખ પણ કર્યો, તેમણે કહ્યું કે, આપના પુસ્તકથી યુવાનોને પ્રેરણા મળે છે. તેમણે કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ હંમેશા દેશના યુવાનોને માર્ગદર્શન આપ્યું છે. મેં આપને દરેક ભૂમિકામાં ખૂબ જ નજીકથી જોયા છે.
નાયડૂજીની વન લાઈનર, વિન લાઈનર હોય છે
પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું કે, દેશ પોતાના આગામી 25 વર્ષની નવી યાત્રા શરૂ કરવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, અમે લોકો લોકતંત્ર વિશે આપની પાસેથી ઘણુ શિખી શકીએ છીએ. આપ દરેક જવાબદારીની પુરી નિષ્ઠાથી નિભાવી શકો છો. નાયડૂજીની વન લાઈનર, વિન લાઈનર હોય છે.
તમારી સાથે કામ કરવું અમારુ સૌભાગ્ય
પીએમ મોદીએ આગળ કહ્યું કે, નાયડૂજીની દરેક વાત સ્પષ્ટ હોય છે. વેંકૈયા નાયડૂની સાથે કામ કરવું અમારુ સૌભાગ્ય છે. હું આપના માપદંડોમાં પરિપક્વતા જોઉ છું. આપના સંવાદ, સંપર્ક અને સમન્વય દ્વારા ફક્ત સદનને સંચાલિત જ ન કર્યું, પણ તેને પ્રોડક્ટિવ પણ બનાવ્યું. જ્યારે પણ સદનમાં ટકરાવની સ્થિતિ હોય છે, ત્યારે આપ નિર્ણાયક ભૂમિકા ભજવો છો.