સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ખાદ્ય અને કૃષિ સંગઠને ચેતવણી આપી હતી કે ભારતમાં આગામી સમયમાં ફરી એકવાર તીડનો હુમલો થઇ શકે છે.
કોરોના સંકટ વચ્ચે વધુ એક આફત ભારતમાં આપી શકે છે દસ્તક
યુએને વ્યક્ત કરી ચિંતા
કોઇપણ સમયે તીડનો આતંક જોવા મળી શકે ભારતમાં
એફએઓના મહાનિર્દેશક ક્યૂ ડોન્ગ્યુએ કહ્યું હતું કે, જૂનમાં ફરી એકવાર તીડનો હુમલો ફરીથી ભારત-પાકિસ્તાન સીમા પર સક્રિય થઇ શકે છે. ભારતમાં તેની અસર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવા રાજ્ય પર પડી શકે છે. તેમણે કહ્યું કે, હાલ ઇરાન અને પાકિસ્તાનમાં તીડનો આતંક યથાવત છે. ભારતમાં રાજસ્થાનમાં તીડનું એક ટોળું આવી પહોંચ્યું છે. અજમેર સહિત કેટલાય જિલ્લામાં તીડે પાકને નુકસાન પહોંચાડ્યું છે.
જુલાઇ સુધી રાજસ્થાનમાં જોવા મળશે તીડનો આતંક
અગાઉ, એફએઓએ ચેતવણી આપી હતી કે તીડનું ટોળું જુલાઈ સુધી રાજસ્થાન આવતા-જતાં રહેશે અને ઘણા તબક્કાઓ પણ જોવા મળશે. નિષ્ણાતોએ ભારતના પૂર્વમાં બિહાર અને ઓડિશા સુધી તીડના હુમલાની ચેતવણી આપી છે.
24 કલાકમાં 135 કી.મી.નું અંતર કાપી શકે છે
નોંધપાત્ર વાત એ છે કે, તીડનું જૂથ પવનના આધારે દિવસમાં 135થી 150 કિ.મી. સુધીનું અંતર કાપી શકે છે અને એક ચોરસ કિલોમીટરના તીડની ટોળા 35,000 જેટલા લોકોને ખાઈ શકે છે.
જૂન-જુલાઇની મોસમ અગત્યની
જૂન-જુલાઇ સુધી ભારતમાં પાકની વાવણીનો સમય છે. આ દરમિયાન તીડની નવી પેઢી તૈયાર થઇ જશે. જે ભારતમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. એફએઓના મહાનિર્દેશક ક્યૂ ડોન્ગ્યૂએ જણાવ્યું કે, કોરોના સંકટ સામે ઝઝૂમી રહેલી દુનિયામાં તીડ પણ વધુ એક મુશ્કેલી બનીને આવી શકે છે.