હાલ ધોનીએ આઇપિએલ માટે પ્રેક્ટીસ શરુ કરી દીધી છે. ટુંક સમયમાં જ આઈપીએલમાં પોતાનો જલવો દેખાડશે અને ત્યારબાદ T-20 વર્લ્ડકપમાં રમવું આસાન બની શકે છે.
BCCIની અનુબંધ સૂચી માંથી ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્યને લઈને અટકળો ચાલી રહી છે. તે દરમિયાન ગુરુવારે ઝારખંડમાં રણજી ટીમની સાથે પ્રેક્ટીસ શરુ કરી દીધી છે. જાણવા મળ્યું છે કે ધોનીએ આઇપીએલની તૈયારી શરૂકરી દીધી છે. જણાવી દઈએ કે BCCIએ ધોનીને કેન્દ્રીય અનુબંધવાળી સૂચીમાંથી બહાર કર્યો છે.
PTIના સુત્રો અનુસાર ઝારખંડ ટીમ પ્રબંધકોને પણ જાણ ન હતી કે તે અહીં પ્રેક્ટીસ કરવા માટે આવી રહ્યા છે. ઝારખંડ પોતાની આગલી મેચ રાંચીમાં રવિવારે ઉતરાખંડ સામે રમશે.
હાલ ધોનીએ આઇપિએલ માટે પ્રેક્ટીસ શરુ કરી દીધી છે. ધોની હાલ પોતાના પરિવાર સાથે મસુરીમાં વેકેશન વિતાવી રહ્યો છે. પરંતુ તે ક્રિકેટના મેદાન પર પાછા ફર્યા છે. ટુંક સમયમાં જ આઈપીએલમાં પોતાનો જલવો દેખાડશે.