ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચમી ટેસ્ટ મેચ કૅન્સલ કરી દેવામાં આવી છે. ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફમાં કોરોનાના કેસ મળી આવતા આ નિર્ણય લેવાયો છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચમી ટેસ્ટ મેચ કૅન્સલ
કોરોના માટે શાસ્ત્રી જવાબદાર હોવાનું ચાહકોએ માન્યું
ECBએ માફી માંગી
જેમાં હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ, ભરત અરુણ, ફિલ્ડીંગ કોચચ આર શ્રીધર અને ફિઝિયો નીતિન પટેલ શામેલ છે. મેચ કેન્સલ થયા બાદ શાસ્ત્રી ચાહકોના નિશાના પર આવ્યા છે. જેનું કારણ છે કે ચોથી ટેસ્ટ શરૂ થયાના 2 દિવસ પહેલા શાસ્ત્રી અને ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ એક ઈવેન્ટમાં શામેલ થયા હતા. આ ઇવેન્ટ ભારતીય ચાહકો કોરોના ફેલાવવા પાછળ જવાબદાર માની રહ્યાં છે.
ચોથી ટેસ્ટ પહેલા બનેલી ઘટના
ધ ઓવલમાં ચોથી ટેસ્ટ 2 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. તેના 2 દિવસ પહેલાં એક હોટલમાં રવિ શાસ્ત્રીની નવી બુકનું લૉન્ચિંગ રખાયું હતું. શાસ્ત્રી તો આ ઈવેન્ટમાં હાજર હતા જ પરંતુ કૅપ્ટન વિરાટ કોહલી સહિત અન્ય ખેલાડીઓ પણ ભાગ લેવા પહોંચ્યા હતા. ભારતીય ટીમ ભલે બાયો-બબલમાં નથી પરંતુ સિક્યોર વાતાવરણમાં રહેલી છે. જે ખેલાડી ઈવેન્ટમાં નજર આવ્યા હતાં તેમાં કોહલી ઉપરાંત રહાણે, પૂજારા, બુમરાહ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ સહિત સપોર્ટ સ્ટાફના સભ્યો પણ હાજર હતા.
BCCI પણ થયું હતું નારાજ
બ્રિટિશ મીડિયા રિપોર્ટ પ્રમાણે કોચ રવિ શાસ્ત્રીએ જે કાર્યક્રમમાં હાજરી આપી હતી તે રૂમ લોકોથી ભરાયેલો હતો. આ મામલે BCCIના અધિકારીએ કહ્યું કે ઈવેન્ટની તસ્વીરો સામે આવી છે. આ મુદ્દે તેમણે ઈગ્લેંડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડની પરવાનગી નહોતી લીધી જેને લઈને BCCI દ્વારા તપાસ કરવામાં આવશે. સાથેજ રવિ શાસ્ત્રી તેમજ વિરાટ ક્હોલી સાથે ટેસ્ટ મેચ પછી આ મામલે સવાલો પણ કરવામાં આવશે. સમગ્ર મામલે ટીમ એડમિનિસ્ટ્રેટિવ મેનેજર ગિરિશ ડોંગરે પણ તપાસના દાયરામાં છે. બ્રિટિશ મીડિયા પ્રમાણે ટીમ ઈન્ડિયાના કોચે આ ઈવેન્ટને લઈને મંજૂરી નહોતી માગી. હવે રવિ શાસ્ત્રી પર ચાહકો રોષે ભરાયા
શાસ્ત્રી અને ભારતીય ટીમ મેનેજમેન્ટ પર એ વખતે જ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. હવે જ્યારે પાંચમી ટેસ્ટ રદ્દ થયા બાદ ફરીથી તેમને ખરી-ખોટી સંભળાવવામાં આવી રહ્યું છે. કેટલાંક લોકોએ આ ઈવેન્ટની તસવીર શૅર કરીને શાસ્ત્રી પર ઍક્શન લેવાની માંગ કરી રહ્યાં છે. જો કે બીજી બાજુ રવિ શાસ્ત્રીના સમર્થનમાં પણ ટ્વિટ્સ થઈ રહ્યાં છે. પૂર્વ ક્રિકેટર ઈઝાબેલ વેસ્ટબેરીએ લખ્યું કે બુક લૉન્ચની આલોચના ખૂબ થશે. એક તરફ પ્લેયર્સ અને સ્ટાફની સાવધાની વિના પબ્લિકને મળવું મૂર્ખામી છે પરંતુ બીજી બાજુ સખ્ત વાતાવારણ પણ ન હતું. કોઈ નિયમ તોડાયા નથી.
એક અન્ય યુઝરે લખ્યું કે શાસ્ત્રીને દોષ આપવો સરળ છે પરંતુ સીરિઝમાં ત્રણ વખત એક માણસ ચાલ્યો આવ્યો આવી સ્થિતિ માટે કોણ જવાબદાર છે.
ECBએ માફી માંગી
પાંચમી અને અંતિમ ટેસ્ટ શરૂ થવાના થોડા કલાક પહેલાં જ રદ્દ કરી દેવામાં આવી. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (EBD) જે નિવેદન જાહેર કર્યુ તેનાથી ખળભળાટ મચી ગયો. તેમણે પહેલાં કહ્યું હતું કે ભારતે મેચ પર દાવો કરવાનું છોડી દીધું છે પરંતુ બાદમાં કહ્યું મેચ રદ્દ કરી દેવાઈ છે. ભારતે લંડનમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં 157 રનોથી જીત મેળવીને સીરીઝમાં 2-1થી બઢત મેળવી હતી. પાંચમી ટેસ્ટનું શું થશે તે હવે સ્પષ્ટ નથી.
લોકોએ જુઓ રવિ શાસ્ત્રીને સોશિયલ મીડિયામાં કેવી રીતે કર્યા ટ્રોલ
Ravi Shastri-Virat Kohli should be questioned harshly by @BCCI with the book launch in UK when ECB didn't acquire clearance.
Its clearly a breach. Shastri and other support staff were found COVID +ve later
The Ravi Shastri book launch is going to get a fair bit of scrutiny I think. On the one hand, idiotic for players & staff to mingle w public w/o any precautions. But on the other, there wasn't a strict biosecure environment. No rules strictly broken. 🤷🏻♀️ #ENGvIND
Easy to blame the Ravi Shastri book launch as the one sole event which caused the outbreak. We had a guy literally run onto the field 3 times this series. Everyone is responsible for this mess.