કોરોના વાઇરસના આ સંકટ વચ્ચે સોનૂ સૂદ પરપ્રાંતિય લોકો માટે ભગવાન બનીને આવ્યો છે. છેલ્લા થોડા સમયથી સોનૂ સૂદ વિષે ઘણા બધા ન્યૂઝ તસવીરો અને કિસ્સા વાઇરલ થયા છે. હાલમાં જ વિરલ ભયાણીએ એક પોસ્ટ કરી છે જેમાં સોનૂના ચાહકોએ સોનૂને એક રિકવેસ્ટ કરી છે.
સોનૂ સૂદનો અલગ અવતાર
સોનૂએ બતાવ્યો શ્રમિક ભાઇ બહેનો માટે પ્રેમ
સોનૂ નેક્સ્ટ અમિતાભ
સોનૂ સૂદની બિહારમાં મૂર્તિ બનાવવાનો પણ તેમના ચાહકોએ પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ સોનૂએ કહ્યું કે, એ મૂર્તિના પૈસાથી ગરીબોની મદદ કરજો. સોનૂના એક ચાહકે ટ્વિટ કરી હતી કે આ બધુ જ્યારે ઠીક થઇ જશે, કોરોનાથી મુક્તિ મળશે બાદમાં તમારે રવિવારે શૂટિંગમાંથી રજા લેવી પડશે. લોકો તમને મળવા આવશે. જે લોકો મુંબઇ ફરવા આવશે એ પૂછશે કે સોનૂ ભાઇનું ઘર ક્યાં છે. @સોનૂ સૂદ બીજા અમિતાભ.
वो क्यों मेरे घर आएँगे दोस्त। मैं उन सब के घर जाऊँगा। बहुत सारे आलू के पराँठे, पान और चाय उधार है मेरे भाइयों पर। ❣️ https://t.co/4PFSn68E13
અમિતાભની જેમ સોનૂને પણ તેમના ફેન્સે રિકવેસ્ટ કરી છે કે રવિવારે તેઓ ફ્રિ રહે અને સન્ડે રિચ્યુઅલને અમિતાભ બચ્ચનની જેમ નિભાવે પરંતુ ડાઉન ટુ અર્થ સોનૂ સૂદે જવાબ આપ્યો હતો કે, તે બધા કેમ મારા ઘરે આવશે દોસ્ત, હું તે બધાના ઘરે જઇશ. બહુ બધા આલૂ પરાઠા, પાન અને ચા ઉધાર છે મારા ભાઇઓ પર.
સોનૂ સૂદે આ કોરોના સંકટમાં બનતી દરેક મદદ લોકોને કરી છે. તેના આ ડાઉન ટુ અર્થ વ્યવહારને લઇને તેના ફેન્સ ખૂબ જ ખૂશ છે. સોનૂનો આ ચહેરો આજ સુધી કદાચ કોઇએ નહી જોયો હોય. મદદ કરવી તે દરેક લોકોનો ઘર્મ છે. સોનૂએ આ સેવાકાર્ય કર્યા બાદ સાબિત કરી દીધુ છે કે આજે ફણ માણસાઇ જીવે છે.