ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઇન્ડિયામાં ઘણા મોટા બદલાવ કર્યા છે. વન ડે ફોર્મેટમાંથી વિરાટને કપ્તાનીમાંથી હટાવી દીધો છે. ત્યારે ફેન્સ સોશ્યલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
રોહીત શર્માને કેપ્ટન બનાવવા પર નારાજ
ફેન્સે આપ્યા સોશ્યલ મીડિયા પર રિએક્શન
BCCIને નિર્ણય પર થશે પસ્તાવો
ફેન્સે આપ્યા રિએક્શન
ફેન્સે સોશ્યલ મીડિયા પર અલગ અલગ પ્રકારના રિએક્શન આપ્યા છે. કેટલાક લોકોએ કોહલીને સપોર્ટ કર્યો તો કેટલાક લોકોએ કહ્યું કે BCCIનો નિર્ણય એકદમ યોગ્ય છે. એક યુઝરે લખ્યું કે રોહીતને કપ્તાન બનાવવાથી હું ખુશ છુ પરંતુ કોહલી માટે પણ મને થોડુ દુઃખ છે. 2023ના વન ડે વર્લ્ડ કપ સુધી તો રોકાઇ ગયા હોત.
BCCIને નિર્ણય પર થશે પસ્તાવો
એક યુઝરે કોહલી સાથેની તસવીર શૅર કરીને કહ્યું કે રાજા એક વાર ફરી દહાડશે. સાથે જ પોસ્ટમાં બીસીસીઆઇને ટેગ કરીને કહ્યું કે તમને જલ્દી જ ખબર પડશે કે તમારો નિર્ણય ખોટો છે. એક યુઝરે લખ્યું કે દુનિયા જે પણ કહે તમે જ અમારા કપ્તાન રહેશો.
BCCIએ વિરાટ પાસેથી કેપ્ટનશીપ છીનવી
વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ આ થવાનું જ હતું અને બુધવારે BCCIએ વિરાટ કોહલીને ભારતની ODI ટીમના કેપ્ટન પદ પરથી હટાવીને રોહિત શર્માને દોર સોંપી દીધી હતી. BCCI 48 કલાકથી કોહલીના ODI ટીમની કેપ્ટનશીપ છોડવાની રાહ જોઈ રહ્યું હતું પરંતુ તેણે તેમ કર્યું ન હતું. ત્યારબાદ 49માં કલાકમાં કોહલીએ રોહિત શર્મા સામે આ સ્થાન ગુમાવ્યું હતું. કોહલીની હકાલપટ્ટીનો ઉલ્લેખ બીસીસીઆઈના નિવેદનમાં પણ કરવામાં આવ્યો ન હતો જેમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે પસંદગી સમિતિએ આગળ જતાં રોહિતને ODI અને T20I ટીમોના કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. કોહલીએ કોઈ સ્પષ્ટ કારણ વગર તેની કેપ્ટનશીપ ગુમાવી દીધી.
“People will forget what you said, people will forget what you did, but people will never forget how you made them feel.”
BCCIએ વિરાટ પાસેથી કેપ્ટનશીપ છીનવી
વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ આ થવાનું જ હતું અને બુધવારે BCCIએ વિરાટ કોહલીને ભારતની ODI ટીમના કેપ્ટન પદ પરથી હટાવીને રોહિત શર્માને દોર સોંપી દીધી હતી. BCCI 48 કલાકથી કોહલીના ODI ટીમની કેપ્ટનશીપ છોડવાની રાહ જોઈ રહ્યું હતું પરંતુ તેણે તેમ કર્યું ન હતું. ત્યારબાદ 49માં કલાકમાં કોહલીએ રોહિત શર્મા સામે આ સ્થાન ગુમાવ્યું હતું. કોહલીની હકાલપટ્ટીનો ઉલ્લેખ બીસીસીઆઈના નિવેદનમાં પણ કરવામાં આવ્યો ન હતો જેમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે પસંદગી સમિતિએ આગળ જતાં રોહિતને ODI અને T20I ટીમોના કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. કોહલીએ કોઈ સ્પષ્ટ કારણ વગર તેની કેપ્ટનશીપ ગુમાવી દીધી.