સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ રાધે ધ મોસ્ટ વોન્ટેડ ભાઇને લઇને ખુબ ચર્ચા છે પરંતુ હવે સલમાન ખાને તેના વિશે રિએક્ટ કર્યુ છે.
સલમાન ખાનની ફિલ્મ રાધે પોસ્ટપોન
સૂર્યવંશી પણ નહી થાય રિલીઝ
કોરોનાના કારણે લેવો પડ્યો આ નિર્ણય
શું કહ્યું સલમાને
એક ન્યૂઝ પોર્ટલને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને સ્પષ્ટ કરી દીધુ છે કે તે ફિલ્મને આ વર્ષે જ ઇદ પર રિલીઝ કરવાની હતી પરંતુ લોકડાઉનના માહોલ વચ્ચે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરશે. સલમાને વધુમાં કહ્યું કે, જો કોરોનાના કેસ વધતા જ રહ્યાં અને લોકડાઉનનો માહોલ આવ્યો તો આ ફિલ્મને 2022માં રિલીઝ કરવામાં આવશે. પોતાનુ ધ્યાન રાખો, માસ્ક પહેરો અને આશા રાખુ છુ કે બધુ જ જલ્દી ઠીક થઇ જાય.
ફેન્સનુ તૂટી જશે દિલ
સલમાન ખાન તરફથી આ પ્રકારના નિવેદનથી ઘણા ફેન્સનુ દિલ તૂટે તેવી શક્યતાઓ છે. અક્ષય કુમારની ફિલ્મ સુર્યવંશીને લઇને પણ જે સંભાવનાઓ હતી તે સાચી પડવા જઇ રહી છે. તે પણ 2022માં જ રિલીઝ થશે તેવુ લાગી રહ્યું છે. જેનું સૌથી મોટુ કારણ છે મહારાષ્ટ્રમાં કોરોનાની આઉટ ઓફ કંટ્રોલ સ્થિતિ. તે રાજ્યમાં થિયેટર્સ પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને ઘણા કડક નિયમ બનાવવામાં આવ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિમાં કોઇ પણ મોટી ફિલ્મને રિલીઝ નહી કરવામાં આવે.
સૂર્યવંશી પણ નહી થાય રિલીઝ
આના પહેલા રોહીત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીને લઇને પણ નિવેદન આપવામાં આવ્યુ હતુ કે ફિલ્મને ફરીથી પોસ્ટપોન કરવામાં આવી રહી છે. કોરોનાના વધતા કેસના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મની નવી રિલીઝ ડેટ શું હશે તે વિશે પણ હજુ જાણકારી મળી શકી નથી. આ વાત ઇશારો છે કે મેગા બજેટની ફિલ્મો માટે ફેન્સને લાંબી રાહ જોવી પડશે.