વરસાદને કારણે ઓસ્ટ્રેલીયા સામે 8-8 ઓવરની જ મેચ થતાં ફેન્સ BCCI પર ભડક્યા છે અને સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલીયા સામે બીજા ટી 20 મુકાબલામાં 8-8 ઓવરની જ મેચ રમાઈ
વરસાદને કારણે લેવામાં આવ્યો આ નિર્ણય
ફેન્સ BCCI પર ભડક્યા
ઓસ્ટ્રેલીયા સામે બીજા ટી 20 મુકાબલામાં 8-8 ઓવરની જ મેચ રમાઈ
23 સપ્ટેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ત્રણ મેચની ટી20 સીરિઝનો બીજો મુકાબલો હતો. વરસાદને કારણે મેચ સમયસર શરૂ થઈ શકી ન હતી અને સાથે જ મેચ 20 ઓવરને બદલે માત્ર 8-8 ઓવરની જ રાખવામાં આવી હતી.
ફેન્સ BCCI પર ભડક્યા
હવે સોશિયલ મીડિયા પર ફેન્સ BCCIના મેનેજમેન્ટને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી રહયા છે. તેઓ કહે છે કે BCCI પાસે આટલા પૈસા હોવા છતાં ટેકનોલોજી તથા સારી વ્યવસ્થા સહાય માટે પૂરી નથી પાડી શકતા. જુઓ ફેન્સની પોસ્ટ્સ
T20 સીરીઝનાં બીજા મુકાબલામાં ભારતે ઓસ્ટ્રેલીયાને આપી છે માત ઓસ્ટ્રેલીયા અને ભારત વચ્ચે ટી20 સીરીઝ રમાઈ રહી છે, જેમાં ગઈકાલે વરસાદને કારણે આ મેચને 8-8 ઓવરની જ રાખવામાં આવી હતી. કેપ્ટન રોહિત શર્માએ તોફાની અંદાજમાં રમતા રમતા 46 રન બનાવ્યા. તેમણે 20 બોલ પર ચાર ચોક્કા અને ચાર સિક્સર ફટકારી. રોહિતને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા હતા. રોહિત અને કેએલ રાહુલે માત્ર 2.4 ઓવરમાં જ 39 રન ફટકારી દીધા. જોકે રાહુલનું યોગદાન આમાં 10 રનનું જ રહ્યું છે. અક્ષર પટેલે પણ મેચમાં બે વિકેટ લીધી હતી.