શું હતો સમગ્ર મામલો
16મી ઓવરના પહેલા બોલ પર રવિન્દ્ર જાડેજાએ સિંગલ લીધા બાદ બીજ રન લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જાડેજા અડધે રસ્તે જ રેનાને પાછુ જવાનો ઇશારો કર્યો. રેના પોતાની ક્રિઝથી આગળ નીકળી ગયો હતો એટલામાં જ ક્રિસ વોક્સે વિકેટ કીપર ઋષભ પંત તરફ થ્રો કરી દીધુ અને રેનાને આઉટ કરી દીધો હતો.
ફેન્સે રવિન્દ્રને જવાબદાર ઠેરવ્યો
ટ્વિટર પર ફેન્સ રવિન્દ્ર જાડેજાને સુરેશ રેનાના રનઆઉટ માટે જવાબદાર ઠેરવી રહ્યા છે. જાડેજાને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ફેન્સનુ માનવુ છે કે જો રેના આઉટ ન થાત તો ચેન્નઇ સુપર કિંગ્સ 200 રનનો સ્કોર બનાવી દેત. સુરેશ રેનાએ 36 બોલમાં શાનદાર 54 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા લગાવ્યા હતા પરંતુ તેની ઇનીંગનો દુઃખદ અંત આવ્યો હતો. ચેન્નઇએ દિલ્હીને 189 રનનો લક્ષ્ય આપ્યો હતો. શિખર ધવન અને પૃથ્વી શોએ મેચ જીતવામાં શાનદાર ફાળો આપ્યો હતો.