રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં છેલ્લા ત્રણ દિવસોથી પંખા અને એસી બંધ હાલતમાં છે.
સુરત સિવિલ હોસ્પિટલની ગુનાહીત બેદરકારી સામે આવી
સિવિલ હોસ્પિટલના બાળક વોર્ડમાં AC અને પંખા છેલ્લા ત્રણ દિવસથી બંધ
વોર્ડના સ્ટાફ દ્વારા પણ લેખિત અરજી આપ્યા બાદ પણ તંત્ર નિદ્રામાં
દર્દીઓ પરિવાજનો ઘરેથી પંખા લાવવા મજબુર બન્ય
સુરતની સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી
સુરતમાં ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઇ છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં એ.સી બંધ થઈ ગયું છે. જેને લઈને દર્દીના સબંધીને ઘરેથી પંખો લાવવાની નોબત આવી છે. જ્યારે કોઇ પેપર કે ફાઇલને પંખો બનાવી દર્દીને હવા નાંખી રહ્યા છે. બાળકોના વોર્ડમાં પણ 7 થી 8 પંખા પણ બંધ હાલતમાં છે.
હજુ એક સપ્તાહ પહેલા જ નવા AC ફિટ કર્યા હોવાનો સ્ટાફનો દાવો
સુરતની નવી સિવિલ હોસ્પિટલના ચોથા માળે બાળકોનાં વોર્ડમાં વિવિધ તકલીફ ધરાવતા બાળકોને સારવાર આપવામાં આવે છે. ત્યારે કાળઝાળ ગરમીમાં બાળ દર્દીઓને રાહત મળે અને તકલીફ દૂર થાય તે માટે બંને પીઆઇસીયુમાં ચાર-પાંચ દિવસ પહેલા બે નવા એ.સી નાંખવામાં આવ્યા હતા. જો કે, AC ત્રણ દિવસ પહેલા બંધ થઈ ગયું હતું. જેના લીધે સારવાર લેતા બાળક દર્દીની હાલત કફોડી થઈ ગઈ છે.
દર્દીઓ પરિવાજનો ઘરેથી પંખા લાવવા મજબુર બન્ય
વોર્ડના સ્ટાફે આ અંગે લેખિતમાં ફરિયાદ કરી હતી. આ ઉપરાંત બોળકોના વોર્ડમાં પંખા પણ ઘણા સમયથી બંધ થઇ ગયા છે. જેથી પંખા રિપેરીંગ કરવા કે નવા નાંખવા અંગે વોર્ડના સ્ટાફે ફરિયાદ કરી હતી પણ આ અંગે ગંભીર દાખવતા નથી. બીજીતરફ પીઆઇસીયુમાં AC બંધ હોવાથી ગરમીમાં રાહત મળે તે માટે દર્દીના સબંધી પોતાના ઘરેથી ટેબલ પંખો લાવીને બાળકને હવા આપી રહ્યા છે. આમ અદ્યતન સિવિલના દાવા હેઠળ દર્દીઓને પડતી હાલાકી સિવિલની સાચી છબી ધરે છે.
VTVના સળગતા સવાલો
- સુરત સિવિલનું તંત્ર કે નિંદ્રાધીન?
- દર્દીઓને સુવિધા આપવામાં તંત્રના આંખ આડા કામ કેમ?
- બાળકોના વોર્ડમાં સિવિલની ગંભીર બેદકારી શા માટે?
- ભર ઉનાળામાં બાળકોને પંખાની પણ સુવિધા કેમ નથી અપાતી?
- પંખો અને AC બંધ હોવા છતાં કેમ ન કરાવાયું રિપેર?
- નર્સો દ્વારા અપાયેલા રિપોર્ટને કેમ ઘોળીને પી ગયા?
- નવા ફીટ કરાયેલા AC પણ કેમ બંધ હાલતમાં?
- બાળકોની તકલીફ સામે તંત્રના પેટનું પાણી કેમ નથી હલતું?
- ગૃહ રાજ્યમંત્રીની વિધાનસભામાં આવતી સિવિલમાં બેદરકારી કેમ?
- ગૃહ રાજ્યમંત્રી કોઇ પગલાં ભરશે ખરા?