બોક્સ ઑફિસ પર શાનદાર કમાણી કરનારી ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક'એ દેશભરમાં લોકોમાં એક અલગ જોશ ભરી દીધો છે.
ભારતે પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇલ પર બનેલી આ ફિલ્મે સેનાની સાથે ભારતીયોના દિલ પર પણ રાજ કર્યુ, પરંતુ આ ફિલ્મે ઘણા લોકોની જિંદગી બદલી દેશે તેવું કોણે વિચાર્યુ હશે. જી હા, જાણીને આશ્ચર્ય થયે પરંતુ વિક્કી કૌશલ, યામી ગૌતમ અને મોહિત રૈના સ્ટારર ફિલ્મ ઉરી જેયા પછી એક ફેને પ્રોત્સાહિત થયા પછી ઇન્ડિયન આર્મી જોઇન કરી દીધી છે. આ વાતની જાણકારી વિક્કી કૌશલે સોશ્યલ મીડિયા પર આપી છે.
વિક્કી કૌશલે ઇન્સ્ટાગ્રામ પર ફેન્સને માટે એક નોટ શૅર કરી છે. આ નોટને વિક્કી કૌલના ફેને જ લખી છે. જેને વિક્કીએ શૅર કરી છે. આ નોટમાં લખવામાં આવ્યુ હતુ કે, ''ઉરી ફિલ્મ જોયા પછી ઇન્ડિયન નેલીમાં ભાગ બનવા માટે મોટિવેશન મળ્યુ.'' આ દરમિયાન વિક્કીના ફેને ઉરી જેવી ફેન બનાવવા માટે આભાર પણ માન્યો.
પોતાની નોટમાં ફેને લખ્યુ કે, ''હું કેરળની એઝીમાલા નેવી એકેડેમીમાં ટૂંક સમયમાં જોડાઈશ. મારી ટ્રેનિંગ આ મહિનાની 15 જુલાઈથી શરૂ થવાની છે, જે ચાર વર્ષ સુધી ચાલશે. ત્યારબાદ હું નેવીનો એક ઑફિસર બનીશ.'' ફેને આગળ લખ્યુ કે, ''તમારી ફિલ્મે મને નેવીમાં જોડાવવાની પ્રેરણા આપી છે. મને લાગે છે કે મારી જેમ અનેક લોકોને આ ફિલ્મમાંથી પ્રેરણા મળી હશે. આટલી સારી ફિલ્મ બનાવવા બદલ આભાર. આ હંમેશા અમારા દિલ તથા મનમાં રહેશે. ટ્રેનિંગમાં જતા પહેલાં તમને એ કહેવા માગીશ કે તમારી ફિલ્મ 'ઉરી' જોયા બાદ મને નેવી જોઈન કરવાની ઈચ્છા થઈ હતી.'''
જણાવી દઇએ કે, આ ફિલ્મે ભારતે પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે 18 સપ્ટેમ્બર 2016ના પાકિસ્તાની આતંકવાદીઓએ જમ્મૂ કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય સેનાના મિલિટ્રી બેસ પર અચાનકથી હુમલો કર્યો હતો જેમાં 19 સૈનિકો શહીદ થયા હતા. 11 દિવસમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓને કેમ્પને તબાહ કરી દીધા હતા. ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક' ફિલ્મ લગભગ 40 કરોડના બજેટમાં બની છે.