બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા તાજેતરમાં આવેલી તેની ફિલ્મ ‘કેસરી'ની સફળતાથી ખુશ છે. સાથે જ તેની આગામી ફિલ્મ બેડમિન્ટન સ્ટાર સાયના નહેવાલની બાયોપિકની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેણે ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ માટે એક સેશન રાખ્યુ હતુ જેમાં ફેન્સ સવાલો કરી શકે. ફેન્સે પણ ઘણા ઉટપટાંગ સવાલો પૂછ્યો. સામે પરીએ પણ શક્ય એટલા સવાલોના મજેદાર જવાબ આપ્યા.
આ સવાલોમાં સૌથી આકર્ષક સવાલ રહ્યો ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકરના પરિણીતિને કરવામાં આવેલા પ્રપોઝ અંગેનો. એક ચાહકે પરિને પૂછ્યુ કે, ‘ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર તમારી સાથે લગ્ન કરવા માગે છે, તમારો શું વિચાર છે? પરિણીતીએ જવાબમાં લખ્યુ કે, 'હું તેને અમદાવાદમાં મળી હતી. તે બહુ ક્યૂટ છે.' પરિણીતીના જવાબનો મલ્હારે પણ વળતો જવાબ આપવામાં ઢીલ ન કરી. તેણે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર રિણીતીના જવાબ નીચે ‘આપણી તરફથી ફાઈનલ છે!’ લખીને સ્ટોરી પોસ્ટ કરી હતી. વધુમાં તેણે લખ્યુ કે, તેઓ અમદાવાદમાં નહી વડોદરમાં મળ્યા હતા.
પરિણીતીએ મલ્હાર વિશે આપેલા જવાબમાં ચાહકો મલ્હારને ટેગ કરી રહ્યા હતા. પરિણીતી જ્યારે તેની ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ના પ્રમોશન માટે ગુજરાત આવી હતી ત્યારે તેની મુલાકાત સાથે થઇ હતી. જણાવી દઇએ કે, મલ્હારે એ પછી પરિણીતી પર ક્રશ હોવાની વાત તેમના ચાહકોને કહી હતી.