અત્યારે એક પછી એક સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે હવે એવા સમાચાર આવ્યા છે કે ફેમસ એક્ટર સૂરજ થાપરની તબયિત લથડતા તેને આઈસીયૂમાં એડમિટ કરાયો છે.
એક પછી એક સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે
જાણીતા એક્ટર સૂરજ થાપરની તબિયત લથડી, ICUમાં એડમિટ
ગોવામાં ટીવી શોઝમાં બિઝી હતો એક્ટર
એક સમાચાર અનુસાર હજી સુધી એવી કોઈ જાણકારી સામે આવી નથી કે તેને કોરોના છે કે નહીં. હજી રિપોર્ટ આવી નથી પરંતુ સમાચારો મુજબ તેની તબિયત વધુ બગડી ગઈ છે જેથી તેને તરત આઈસીયૂમાં એડમિટ કરાયો છે.
ગોવાથી પાછા ફર્યા બાદ બગડી તબિયત
એવું કહેવાય રહ્યું છે કે, સૂરજ ગોવામાં પોતાના ટીવી શોઝની શૂટિંગમાં બિઝી હતો, પરંતુ જ્યારે ગોવામાં શૂટિંગ બંધ થયું તો તે મુંબઈ પરત આવ્યો. ગોવાથી શૂટિંગ પતાવીને તે જ્યારે મુંબઈ પાછો આવ્યો તો તેની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી. એવામાં તે ટ્રાવેલ દરમિયાન સંક્રમિત થયો હોવાની આશંકા છે.
ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં સૂરજ થાપર ગોવામાં તેના સ્ટાર પ્લસ પર પ્રસારિત થનારા શો 'શૌર્ય - એક અનોખી કહાની)ના શૂટિંગ માટે દરરોજ મુંબઈથી ગોવા જઇ રહ્યો હતો. આ દરમિયાન તેના સાથીદારોએ માહિતી આપી છે કે તેને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવી રહ્યો હતો. તેમ છતાં તે કામ કરી રહ્યો હતો. પરંતુ જ્યારે સૂરજ થાપર મુંબઇ પહોંચ્યા ત્યારે તેને તેજ તાવ આવ્યો હતો અને તેનું ઓક્સિજનનું સ્તર પણ ઓછું થઈ રહ્યું હતું. એવામાં અભિનેતાને તરત આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ સમય દરમિયાન તેની બહેન વનિતા થાપર તેની સાથે છે. તેણે જણાવ્યું છે કે હજી સુધી સૂરજની કોરોનાની રિપોર્ટ સામે આવી નથી. આ સમાચાર મુજબ સૂરજ લીલાવતીમાં દાખલ થવા માંગતો હતો, પરંતુ તેને મલાડની હોસ્પિટલમાં જ એડમિટ થવું પડ્યું.
આ સીરિયલ્સથી મળી ઓળખ
છેલ્લા કેટલાક વર્ષોમાં સૂરજ થાપરે વિવિધ ભૂમિકાઓ ભજવીને પોતાની ઓળખ ઊભી કરી છે. તેણે 'ચંદ્રગુપ્ત મૌર્ય'માં રાજા ઘનાનંદની ભૂમિકા ભજવી છે, જ્યારે સસુરાલ ગેંદા ફૂલ, એક નયી પહચાન અને માત સીરિયલમાં કામ કરી ચૂક્યો છે. તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.