હિન્દી સિનેમા જગતના લોકપ્રિય મેકઅપમેન પંઢરી જુકરનું સોમવારે નિધન થઈ ગયું છે. ત્યારે બોલિવૂડ શોકમાં છે. પંઢરી જુકરને લોકો દાદા તરીકે ઓળખાતાં હતાં. તેમણે દિલીપ કુમારથી લઈ દેવ આનંદ સુધીના મશહુર કલાકારોના ચહેરાને સુંદર બનાવવા માટે મેકઅપ કરતા હતા.
પંઢરી જુકરનું સોમવારે મુંબઈ ખાતે સોમવારે નિધન
88ના પંઢરી દાદાએ પોતાના જીવનના 60 વર્ષ હિન્દી સિનેમાને આપ્યાં હતાં.
માધુરીને ફિલ્મ આપવા માટે મદદ કરી હતી
પંઢરી દાદાએ પોતાના જીવનના 60 વર્ષ હિન્દી સિનેમાને આપ્યાં હતાં
નરગીસથી લઈને કરીના કપૂર અને દિલીપ કુમારથી લઈને શાહરુખ ખાન સુધી મેકઅપ કરનાર હિન્દી ફિલ્મ જગતના મશહુર મેકઅપમેન પંઢરી જુકરનું સોમવારે નિધન થયું છે. દેશની આઝાદીના સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરિવારની અનુમતી વગર પંઢરી મેકઅપની દુનિયામાં આવ્યાં હતાં. જેમને લોકો પંઢરી દાદા તરીકે ઓળખતાં હતાં. 88ના પંઢરી દાદાએ પોતાના જીવનના 60 વર્ષ હિન્દી સિનેમાને આપ્યાં હતાં.
મેકઅપની દુનિયામાં સફળતા મેળવી હોય તો તે પંઢરી દાદા છે
યશરાજ ફિલ્મ્સના સ્થાપક અને જાણીતા નિર્માતા અને દિગ્દર્શક યશ ચોપરાએ નિધન પહેલા એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે "કોઈ ચેહરો પડદા પર ચમકે છે તો તે મેકઅપના લીધે નહીં" મેકઅપ તે હોય છે તે કોઈ વ્યક્તિના મનની સુંદરતાને તેમના ચહેરા પર દેખાડી શકે અને આવું કામ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોથી લઈ કલર ફિલ્મો સુધી કોઈએ મેકઅપની દુનિયામાં સફળતા મેળવી હોય તો તે પંઢરી દાદા છે.
શ્રીદેવીને મેકઅપ કરવામાં સમય લાગતો
યશ ચોપરા અને પંઢરી દાદાના સબંધો વર્ષો જુના છે. તે પણ યશ ચોપરાને ખૂબ જ સન્માન આપતા હતાં. "ચાંદની, દિલવાલે દુલ્હનિયા, સિલસિલા, યશ ચોપરાની બધી ફિલ્મોમાં બધા જ કલાકારોને પંઢરી દાદા જ મેકઅપ કરતા હતા. શ્રીદેવીને તૈયાર કરવામાં વધારે સમય લાગતો હતો. કારણકે તેમની આંખના મેકઅપથી લઈને દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડતું હતું. શ્રીદેવી પણ ક્યારેય ઉતાવળ કરતાં ન હતાં.
પંઢરી દાદાનો સૌથી રસપ્રદ કિસ્સો અમિતાભ બચ્ચન સાથે જોડાયેલો છે
T 3445 - Pandhari Juker .. no more .. the Master, the Icon, the Ultimate make up artist .. passes away ..
He touched hundreds of faces and enhanced them .. but it was the hundreds of hearts that he touched that endeared us to him ..
Prayers ..🙏 pic.twitter.com/zOk6Jx24DW
તેમણે સુભાષ ઘાઈને તેમની ફિલ્મ કર્મામાં માધુરી દીક્ષિતને લેવા માટે રજૂઆત કરી હતી. અને ત્યારે સુભાષ ઘાઈએ ના કહી દીધી હતી. ત્યારબાદ પંઢરી દાદાના મેકઅપનો કમાલ જોઈ સુભાષ ઘાઈ પોતે માધુરી દીક્ષિતના ઘરે જઈ ફિલ્મ સાઈન કરવાની વાત કરવા આવ્યા હતા. મીના કુમારીથી લઈ મધુબાલા, દિલીપ કુમાર, રાજ કપૂર, દેવ આનંદ, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, આમિર ખાન અને કરીના કપૂર સુધીના મોટા સ્ટાર માટે મેકઅપ કર્યો છે. મેકઅપ કરવા વાળા પંઢરી દાદાનો સૌથી રસપ્રદ કિસ્સો અમિતાભ બચ્ચન સાથે જોડાયેલો છે.
જ્યારે અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાનીની શૂટિંગ ગોવામાં ચાલતી હતી અને ફિલ્મના પાત્ર અનુસાર અમિતાભ બચ્ચનને દાઢી લગાવાની હતી. એક વખત અમિતાભનો મેકઅપ થયા બાદ પંઢરી દાદાને અચાનક મુંબઈ પાછું આવવું પડ્યું. અમિતાભે પંઢરી દાદા પાછા ન ફર્યા ત્યાં સુધી તે જ લૂકમાં રહ્યાં અને લુક બદલાય નહીં તે માટે 7 દિવસ સુધી મોઢું પણ ન ધોયું.