બોલીવુડ જગતને વધુ એક મોટી ખોટ પડી છે. જાણીતા ગીતકાર માયા ગોવિંદનું 82 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે.
બોલીવુડ જગતને પડી વધુ એક મોટી ખોટ
મશહૂર ગીતકાર માયા ગોવિંદનું નિધન
82 વર્ષની ઉંમરમાં મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ
છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડિત હતા ગોવિંદ
ઘણી હિંદી ફિલ્મોમાં અવાજ આપનાર ગીતકાર માયા ગોવિંદના નિધનથી બોલીવુડને એક મોટી ખોટ પડી છે. માયા ગોવિંદ ઘણા લાંબા સમયથી બીમાર હતા અને તેમની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે તેમની તબિયત વધારે બગડી હતી અને આખરે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.
350થી વધારે ફિલ્મો માટે ગીતો લખ્યાં
પવન હંસ સ્મશાનગૃહમાં 3 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેઓ છેલ્લા 2 મહિનાથી બીમાર હતા. તેમણે 350થી વધારે ફિલ્મો માટે ગીતો લખ્યાં છે. તેમણે ઘણી બૂક્સ પણ લખી છે અને ટીવી શો માટે લિરિક્સ પણ લખ્યાં છે.
આંખો મેં બસે હોં તુમ સહિતના ઘણા ગીતો લખ્યાં
માયા ગોવિંદ દ્વારા લખવામાં આવેલા ઘણા ગીતોમાં આંખો મેં બસે હોં તુમ (ટક્કર), મેં ખિલાડી, તૂ અનાડી (ટાઈટલ સોંગ), ગલે મેં લાલ ટાઈ, (હમ તુમ્હારે હૈ સનમ) અને ઠહરૈ હું મેં પાની મેં (દલાલ) સામેલ છે. કિસ્મત અને માયકા જેવા ટીવી શોના ટાઈટલ પણ તેમણે લખ્યાં હતા.
અક્ષયથી લઈને અમિતાભ બચ્ચનની ફિલ્મોના ગીતો લખ્યા
માયા ગોવિંદનો જન્મ 1940માં લખનૌમાં થયો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ગીતકાર તરીકે કરી હતી. તેમણે 'સૌતેલા', 'રઝિયા સુલતાન', 'બાલ બ્રહ્મચારી', 'આર યા પાર', 'ગરવ', અક્ષય કુમારની 'મેં ખિલાડી અનાડી', અમિતાભ બચ્ચનની 'લાલ બાદશાહ' અને 'યારાના' જેવી 350 ફિલ્મોમાં કામ કર્યું છે.