બેજાન દારૂવાલા ખૂબ જ પ્રખ્યાત જ્યોતિષી છે. તેઓની 90 વર્ષની ઉંમર છે. ગઈકાલે તેમની તબિયત લથડતા તેઓને અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ હાલ ઓક્સિજન પર છે. તેમને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો પણ જણાયા છે.
બેજાન દારૂવાલા થયા દાખલ
કોરોનાના શંકાસ્પદ લક્ષણોની થઈ જાણ
અમદાવાદની એપોલો હોસ્પિટલમાં છે દાખલ
Country's one of the finest and revered astrologer Shri @Bejan_Daruwalla ji is unwell.
As tall as his name and fame is, he is known for his simplicity and grounded personality.
Sending prayers for his speedy recovery and earnest wishes to see him spring back into action. pic.twitter.com/0Lml6IYqrf
બેજાન દારૂવાલાના પુત્રએ કોરોનાના લક્ષણોનો પણ ઇનકાર કરતા કહ્યું કે કે તેમને ફેફસામાં ઇન્ફેક્શન છે. જ્યોતિષી બેજાન દારૂવાલાની તબિયત લથડતા તેઓને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ ઓક્સિજન પર છે. તેઓને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો પણ જણાયા છે.
કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો છેઃ નસ્તૂર દારૂવાલા
મળતી માહિતી અનુસાર પુત્ર નસ્તુર દારૂવાલા કહે છે કે મારા પિતાજીને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો છે. ફેફસામાં ઇન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેઓ ઓક્સિજન પર છે. અમે કોરોનામાં માનતા નથી. તેમની તબિયત સ્થિર થાય તેના માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.