પેન્શન ધારકની હત્યા થઈ જાય તો આવા કેસમાં હવે નહીં રોકવામાં આવે પેન્શનની રકમ
ફેમિલી પેન્શન પર કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો
સરકારે લગભગ 50 વર્ષ જુનો એક નિયમ બદલી નાખ્યો
જાણો પહેલા શું હતા નિયમો અને હવે શું છે નિયમો?
ફેમિલી પેન્શન પર કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. સરકારે લગભગ 50 વર્ષ જુનો એક નિયમ બદલી નાખ્યો છે. Central Civil Services Rules, 1972ના નિયમ 54ના ઉપનિયન (11-C) આ મામલામાં લાગુ થતો હતો. જ્યારે સરકારે પેન્શનન મેળવનાર કોઈ પેન્શન ધારકની હત્યા થઈ જાય અને તેની હત્યાનો આરોપી તેનો પતિ/ પત્ની અથવા તો પરિવારનો કોઈ સદસ્ય હોય જેને પેન્શન ધારકના મૃત્યુ બાદ તેના પેન્શનની રકમ તેમને મળવાની છે. આવા મામલામાં સરકાર તે પેન્શન ધારકના પેન્શનને રોકી દેતી હતી. કાયદાકીય મામલો સંકેલાઈ જાય પછી તેને ફરી શરૂ કરવામાં આવતું હતું પરંતુ હવે આ મામલામાં પેન્શન રોકી દેવામાં આવશે. 16 જૂને કાર્મિક મંત્રાલયે એક સર્કુલર જાહેર કરી આ નવા ફેરફાર વિશે જણાવ્યું હતું.
શું હતો જુનો કાયદો?
જો કોઈ પેન્શન ધારકની હત્યા થઈ જાય અને હત્યાનો આરોપ તેના પતિ/ પત્ની અથવા તો પરિવારનો કોઈ સદસ્ય હોય જેને પેન્શન ધારકના મર્યા બાદ પેન્શનની સંપૂર્ણ રકમ મળવાની હતી. તો સરકાર તરત તેનું પેન્શન રોકી દેતી હતી. તેને ત્યાં સુધી રોકવામાં આવતું હતું જ્યા સુધી મામલાનો કોઈ ચુકાદો ન આવી જાય. જો આરોપીને આરોપમાંથી મુક્ત કરવામાં આવે તો ફેમિલી પેન્શન તેને આપવામાં આવતુ હતું. પરંતુ જો તે દોષી સાબિત થાય તો પછી તેના બાદ જો પરિવારમાં કોઈ બીજુ પેન્શનની રકમ મેળવવા પાત્ર છે. તો તે પેન્શન તેના નામથી આપવામાં આવતું હતું. તેને એરિયર પણ મળતુ હતું. આવા કાયદાથી આવા કેસોમાં આખા પરિવારને મુશ્કેલી થતી હતી.
શું કરવામાં આવ્યો ફેરફાર?
16 જૂને કાર્મિક મંત્રાલયે આ નવો આદેશ જાહેર કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે આવા મામાલામાં હવે સરકાર ફેમિલી પેન્શન નહીં રોકે, પરંતુ આરોપીને છોડીને પરિવારમાં જે બીજો સદસ્ય હશે તેને તરત પેન્શનની રકમ આપી દેવામાં આવશે.
આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે 'પરિવારનું કોઈ એવું સદસ્ય જે આવું પેન્શન મેળવવા પાત્ર છે જેના પર હત્યાનો આરોપ નથી. પેન્શન ન મળવાના કારણે સંપૂર્ણ પરિવાર તંગીમાંથી પસાર થઈ રહ્યો છે. કાયદાકીય ચુકાદો ન આવે ત્યાં સુધી પરિવારની આર્થિક જરૂરીયાતોને પુરી કરવામાં મુશ્કેલી આવી શકે છે. એવામાં પેન્શનને સંપૂર્ણ રીતે રોકવું ઠીક નથી.'
અને જો માનવામાં આવે કે પેન્શન ધારકની હત્યાનો આરોપ તેના પતિ/ પત્ની પર છે અને બીજો પાત્ર સદસ્ય સગીર છે. તો તે સગીરનો જે વાલી હશે તેને આ પેન્શનની રકમ આપવામાં આવશે. હા પણ આરોપી પેન્શનની રકમ લેવા માટે બાળકનું વાલી ન બની શકે. જો હત્યાનો આરોપી નિર્દોષ છૂટી જાય તો છૂટવાના આદેશ વાળા દિવસીથી તે પેન્શનની રકમનો હકદાર રહેશે. અને તે તારીખ બાદ પરિવારના બીજી સદસ્યનો પેન્શન પરથી હક ખતમ થઈ જશે.