બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Family of Navsari has an accident in Junagadh, 3 death, 4 injured
Vishnu
Last Updated: 07:06 PM, 30 October 2021
ADVERTISEMENT
જૂનાગઢના મંગલપુર બાયપાસ ચોકડી પાસે ઈનોવા કર ચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતાં મોટી અકસ્માતની ઘટના બની છે. સોમનાથ દર્શનાર્થે જઈ રહેલા નવસારીના પરિવારને કેશોદના મંગલપુર પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં ડ્રાઇવર સહિત પિતા-પુત્રનું મૃત્યુનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે જ્યારે અન્ય 4 ને ગંભીર ઇજા પહોંચતા જૂનાગઢ હોસ્પિટલમાં રીફર કરાયા છે.
ADVERTISEMENT
સોમનાથ દર્શનના ઓરતા અધૂરા રહ્યા..!
નવસારીનો પરૂવાર સૌરાષ્ટ્ર જુદા જુદા ધામોના દર્શન કરવા પરિવાર સહિત ઈનોવા કાર લઈને નીકળ્યો હતો.જે બાદ જૂનાગઢના કેશોદ તાલુકાના મંગલપુર બાયપાસ ચોકડી નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના લીધે ઇનોવા કાર પલટી મારી કચ્ચરઘાણ થઈ ગઈ હતી. અકસ્માતમાં કાર ડ્રાઇવર સહિત પરિવારના 6 લોકોમાંથી પિતા-પુત્રનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતા. ઘટનાની જાણ પોલીસ તેમજ 108ને આસપાસના રાહદારીઓએ અને ચોકડી પરના દુકાનદારોએ કરી હતી. જે બાદ અકસ્માતમાં નાની-મોટી ઇજાઓ પહોંચતા 4 લોકોને જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે હાલ અકસ્માત કેવી રીતે બન્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.