અમદાવાદના શાહીબાગના શહીદ સ્મારક ખાતે પૂર્વ સૈનિકો વિવિધ 15 જેટલી માગને લઇને આંદો કરી રહ્યાં છે. ત્યારે પૂર્વ સૈનિકો અને શહિદના પરિવારજોનો પણ આંદોલનમાં જોડાયાં છે. જેમાં શહીદ જવાનોના પરિવારને એક કરોડની સહાયની માગ કરવામાં આવી છે. જ્યારે પૂર્વ સૈનિકોને ખેતી માટે જમીન અને પ્લોટ આપવાની માગ અને કોન્ટ્રાકટ પદ્ધતિ નાબૂદ કરવા સહિતની માગ કરાઇ છે.