પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યના પત્રકારોના પરિવારના હિતને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે મંગળવારે એલાન કર્યું કે જો રાજ્યમાં કોઈ માન્યતા પ્રાપ્ત પત્રકારીનું મોત કોરોનાથી થાય છે તો તેના પરિવારને 10 લાખની સહાય આપવામાં આવશે. કેપ્ટન અમરિંદર સિંહે આ નિર્ણય પટિયાલામાં કોરોનાથી 2પત્રકારનોના મોત બાદ કર્યો છે.
પંજાબ સરકારે પત્રકારો માટે કર્યો નિર્ણય
કોરોનાથી પત્રકારનું અવસાન થાય તો મળશે સહાય
પત્રકારના પરિવારને 10 લાખની સહાયની જાહેરાત
પટિયાલામાં કોરોનાથી 2 પત્રકારોના અવસાન બાદ નિર્ણય
Journalists have played an even more vital role in prevalent #Covid19 times by ensuring timely news to all. We have decided to pay ex-gratia of Rs 10 lakh to the family of any deceased journalist dying due to #Covid19. We thank all journalists for their courage & hard work.
કેપ્ટન અમરિંદર સિંહ આ સંદર્ભમાં ટ્વીટ કરી લખ્યુ કે પત્રરકારો આ કોરોનાકાળમાં તમામ લોકો સુધી સમાચાર પહોંચાડવાની મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવી છે. અમે નિર્ણય કર્યો છે કે જો કોઈ પણ પત્રકારનું કોરોનાને કારણે મોત થાય છે તો પરિવાર 10 લાખ રુપિયાની મદદ રાશિ આપવામાં આવશે. અમે પત્રકારોના સાહસ અને કઠોર મહેનત માટે તેમનો આભાર માનીએ છીએ.
પંજાબના એક મંત્રી અને બે ધારાસભ્યોને કોરોનાનો ચેપ લાગ્યાના સમાચાર છે. રાજ્ય વિધાનસભાના એક દિવસીય સત્ર 28 ઓગસ્ટના રોજ થવાનું છે. ઉઘ્યોગ અને વાણિજ્ય મંત્રી સુંદર શામ અરોડાએ મંગળવારે કહ્યું કે તેમના કોરોનાગ્રસ્ત હોવાનો રિપોર્ટ આવ્યો છે. હોશિયારપુર સીટના ધારાસભ્ય અરોડા રાજ્યના ચોથા મંત્રી છે જે આ વાયરસથી સંક્રમિત થયા છે. આ દરમિયાન રાજપુરાના કોંગ્રેસના ધારાસભ્ય હરદયાલ કોંબોજ અને સનૌરના ધારાસભ્ય હરિંદરપાલ સિંહ ચંગ્રમાજરાના પણ કોરોનાગ્રસ્ત હોવાની ખરાઈ થઈ છે.