ગીર સોમનાથ જિલ્લામાં બે સગી બહેનોનામાં અપમૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. ઉનાના લમાધાર ગામે બે સગી બહેનોના સર્પદંશની મોત થયા હતા.
ગામમાં સર્પદંશથી બે લાડલીના મોત
હાલ અનેક વિસ્તારોમાં વરસાદની પૂરજોશમાં વરસી રહ્યો છે જેને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાહોય છે જ્યારે પાણી ભરાવવાને લીધે સરિસૃપ જીવોના રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે અને સરિસૃપ જીવના ના દરમાં પાણી ભરાવાથી દરોની બહાર આવતા હોય છે. ત્યારે ઉનાના લમાધાર ગામે રાત્રે ઉંચમાં બે બહેનોને સાપ કરડતા તેમના અકાળે મોત નિપજ્યા છે.
સર્પદંશથી બે સગી બહેનોના મોત
બે સગી બહેનો નિધિ જેની ઉંમર 13 વર્ષની છે જ્યારે વાનિકા જે 10 વર્ષની છે જેમને સાર્પદંશ દીધો હતો. ઘટનાની જાણ થતા પરિવારે તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા પરતું તબિબોએ બંને બહેનોને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો.