વડોદારામાં સયાજી હોસ્પિટલમાં સફાઇ કર્મચારીની વેક્સિન લીધા બાદ તેની તબિયત લથડી અને ખેંચ આવ્યા બાદ મોત નિપજ્યું હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
કોરોના વેક્સિન લીધા બાદ મોત થયાના આક્ષેપ
વેક્સિન બાદ તબિયત લથડતા મોત થયાના આક્ષેપ
સયાજી હોસ્પિટલમાં પરિજનોનો હોબાળો
દેશભરમાં આજે બીજા તબક્કાનું વેક્સિનેશન કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે. પરંતુ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સફાઈ કર્મચારીના મોતને લઈ પરિવારે આક્ષેપો કર્યા છે. કોરોના વેક્સિન લીધા બાદ સફાઈ કર્મચારીનું મોત થયું હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. મૃતકના પરિવારજનોએ કહ્યું કે, વેક્સિન લીધા બાદ તેની તબિયત લથડી, ખેંચ આવ્યા બાદ મોત નિપજ્યું છે. મૃતક જીગ્નેશ સોલંકી પાલિકાની વોર્ડ-9ના સફાઈ કર્મચારી હતો. મોત બાદ સયાજી હોસ્પિટલમાં પરિજનોનો હોબાળો કર્યો હતો.
મૃતકના પત્નીએ જણાવી સમગ્ર ઘટના
સફાઈ કર્મચારીના મોત બાદ તેમના પત્નીએ આક્ષેપો સાથે કહ્યું કે, અમે ના પાડીએ છતાં પણ રસી આપવામાં આવી રહી છે. મારા પતિ રસી મૂકાવીને ઘરે પરત ફર્યા હતા. જે બાદ તેને સ્નાન કર્યા પછી અચાનક ખેંચ આવવા લાગી હતી. સાથે તેમનું મોં પણ ખુલતું નહોતું. અને બોલી શકતા પણ નહોતા. તેમની હાલત જોઈ અને તાત્કાલિક દવાખાને દાખલ કરાયા હતા. અમારે બે દિકરીઓ છે.