વડોદરા બાદ આણંદમાં પણ પરિવારની સામૂહિક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં માતા-પુત્રના મોતથી અરેરાટી મચી ગઈ છે.
પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ
ઝેરી દવા પીતા માતા અને પુત્રનું મૃત્યુ
દીકરીને સારવાર મળતા બચ્યો જીવ
વડોદરામાં એક પરિવારના સામૂહિક આપઘાત બાદ આવો જ કિસ્સો આણંદમાં પણ સામે આવ્યો છે.
આણંદમાં એક પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. વિદ્યાનગરના મિત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક એવા પરિવારે આ ગજબનાક પગલું ભર્યું છે.
માતા, પુત્ર અને દીકરીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઝેરી દવા ગટગટાવી જતા માતા અને પુત્રનું મૃત્યુ થયું છે. દીકરીને સમયસર સારવાર મળતા જીવ બચ્યો છે. આ પરિવાર જીવનદીપ સોસાયટીના બંગલા નં-51માં રહેતો હતો. આર્થિત તંગીના કારણે આપઘાત કર્યો છે.
38 વર્ષીય ટીનાબેન પ્રકાશભાઈ શાહનું મોત થયું છે અને 12 વર્ષના દીકરા મિત પ્રકાશભાઈ શાહનું પણ મોત થયું છે જ્યારે 15 દીકરી સૃષ્ટી બેન પ્રકાશભાઈ શાહ વર્ષીય બચી ગઈ છે.
પુત્રીનો જીવ બચ્યો
આણંદની જીવનદીપ સોસાયટીમાંના 51 નંબરના મકાનમાં રહેતા અને વિદ્યાનગર ખાતે આવેલા મિત ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા પરિવારે આર્થિક તંગીના કારણે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં 15 વર્ષીય પુત્રીને સમયસર સારવાર મળતાં તેનો જીવ બચ્યો છે, જ્યારે 38 વર્ષીય ટીનાબેન પ્રકાશભાઈ શાહ અને 12 વર્ષીય પુત્રનાં મોત થયાં હતાં.
વડોદરામાં 2 દિવસ અગાઉ બની હતી સામૂહિક આત્મહત્યાની ઘટના
મહત્વનું છે કે હાલમાં જ 2 દિવસ અગાઉ વડોદરામાં 6 સભ્યોના પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્ય હતો જેમાં ત્રણના કરુણ મોત નીપજ્યાં હતાં. આર્થિક સંકડામણને કારણે સોની પરિવારે મોત વહાલું કર્યુ હતું. આ આત્મહત્યાના પ્રયાસમાં ઘરના મોભી, પૌત્ર અને દીકરીનું મોત થયું હતું.