સુરતઃ સરથાણા વિસ્તારમાં માતા પિતા અને પુત્રે આપઘાત કર્યો છે. સરથાણા વિસ્તારના મેજિસ્ટકા હાઈટ્સમા 12માં માળેથી પરિવારજનોએ છલાંગ લગાવીને સામુહિક આપઘાત કર્યો છે.
આ ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોના આપઘાત બાદ પોલીસ અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી.
સામુહિક આપઘાત મુદ્દે CPની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે મરનાર પરિવાર પાસેથી સ્યુસાઇડ નોટ મળી છે. જેમાં ઉલ્લેખ છે કે મારા મોત માટે કોઇ જવાબદાર નથી. આ મામલે ગંભીરતાથી તપાસ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી પોલીસે શરૂ કરી છે. કોઇપણ વ્યક્તિ દેવાના કારણે આપઘાત ન કરે. મુશ્કેલીમાં હોય તો હેલ્પલાઇનનો અને પોલીસનો સંપર્ક કરે. વ્યાજખોરો સામે અમારી કાર્યવાહી ચાલુ રહેશે.