કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉનમા ગરીબ પરિવાર માટે અનેક સેવા ભાવી સંસ્થાઓ સેવાકીય પ્રવૃતિ કરી રહી છે. પરંતુ આ માનવસેવા વચ્ચે પણ કેટલાક લોકો રાજકીય રોટલા સેકતા હોય છે. આવો એક કિસ્સો અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં સામે આવ્યો છે.
અમદાવાદમાં લોકડાઉન વચ્ચે ખોટી અફવાના વધ્યા કિસ્સા
સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલવાના કેસ વધ્યા
વટવા પોલીસે અફવા ફેલાવનાર 3 આરોપીની કરી ધરપકડ
વટવા વોર્ડના ભાજપના પ્રમુખ સુશીલ રાજપુતની સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે. તેઓને ગરીબો માટે જમવાનુ પહોંચાડવા માટે 25 લાખનુ દાન મળ્યુ. પરંતુ તેઓ ગરીબોને ખાવાનુ પહોંચાડવાના બદલે પૈસા ચાઉં કરી ગયા હોવાની પોસ્ટ વાયરલ થઇ છે. સુશીલ રાજપુતના ધ્યાન પર આ પોસ્ટ આવતા તેમણે વટવા પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી.
જેથી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ ભાજપના જ કાર્યકરો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ભાજપના જ 3 કાર્યકરોએ સોશિયલ મીડિયા પર વોર્ડ પ્રમુખને બદનામ કરવા ખોટી અફવા ફેલાવી હતી.