રાજ્યમાં ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે છેલ્લા ચાર વર્ષમાં 2500 કરોડની કરચોરી ઝડપાઈ
સરકારે કરચોરી ડામવા અનેક પગલા લીધાં
હજુ પણ એપલેટ ટ્રિબ્યુનલની થઈ નથી રચના
રજિસ્ટ્રેશન રદ્દ થાય છે પણ ફરી રિસ્ટોર થતાં નથી
રાજ્યમાં GST અમલીકરણને ચાર વર્ષ થયા હોવા છતા GSTને નામે કરોડોનું કૌભાંડ આચરવમાં આવે છે. રાજ્યમાં ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે છેલ્લા ચાર વર્ષમાં 2500 કરોડની કરચોરી ઝડપાઈ છે
રાજ્યમાં ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના કિસ્સા વધ્યા
ગરીબોના નામે બોગસ પેઢીઓ બનાવી કૌભાંડ આચરવામાં આવી રહ્યો છે. સરકારે કરચોરી ડામવા માટે અનેક પગલા લીધા તેમ છતા અનેક ચોરીની ઘટનાઓ સામે આવી છે. ત્યારે જીએસટી કૌભાંડમાં ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના કિસ્સા સૌથી વધારે જોવા મળી રહ્યા છે. અને આ ચાર વર્ષા સમયમાં ગુજરાતમાં જીએસટીમાં કરોડોની કરચોરી કરાઇ છે.
ગરીબોના નામે બોગસ પેઢીઓ બનાવી કૌભાંડ
અહેવાલ પ્રમાણે મળતી માહિતી મુજબ ગુજરાતમાં ચાર વર્ષમાં 2500 કરોડની કરચોરી કરવામાં આવી છે. રાજ્યમાં અનેક કૌભાંડીઓએ ગરીબોના નામે બોગસ પેઢીઓ બનાવીને તેના દ્વારા બોગસ બિલીગના કૌભાંડ આચર્યા હતાં. રાજ્યમાં ચાર વર્ષમાં જીએસટી કૌભાંડના કુલ 705 જેટલા કેસ સામે આવ્યા છે. અને સ્ટેટ જીએસટી વિભાગે આ કૌભાંડોમાં 65 વ્યક્તિઓની ધરપકડ કરી છે.
GSTના 4 વર્ષમાં રાજ્યમાં 2500 કરોડની કરચોરી
હજુ કરદાતાઓ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જીએસટીમાં હજી પણ એપલેટ ટ્રિબ્યુનલની રચના થઈ નથી જેના કારણે કરદાતાઓએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે સરકારે જુલાઈ 2017થી એપ્રિલ 2021 સુધી રિટર્ન ફાઇલના કરનારાને લેટ ફી માફી આપી છે પરંતુ જેમના રજિસ્ટ્રેશન રદ્દ કરાયા છે તેમના રજિસ્ટ્રેશન ફરી રિસ્ટોર થતાં નથી તેમ પણ અનેક મુશ્કેલીઓ જોવા મળી રહી છે નવા રજિસ્ટ્રેશનમાં પણ ઘણો લાંબો સમય લાગે છે તે પ્રક્રિયા પણ સુધારવાની માંગ ઉઠી રહી છે.