ચીનમાં ફરી કોરોના ઉથલો મારતા સરકારે જરૂરી વસ્તુઓનો સ્ટોક કરી રાખવા સલાહ આપી છે. જેના કારણે હવે ચીનના સુપર માર્કેટમાં અફરા તફરી સર્જાઈ છે. કારણકે ડિમાન્ડ સામે સપ્લાય ચેઈન અહીયા ખોરવાઈ છે.
ચીનના સુપરમાર્કેટમાં પડાપડી
સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
કોરોનાને કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ
China is encouraging people to stockpile food which has resulted in mass panic buying. Many items are sold out and people are fighting over bags of food. It's unclear the real reason the Chinese government is encouraging this behavior. pic.twitter.com/gzdiBfzFYc
ચીનના મોટા ભાગના શહેરોમાં સુપરમાર્કેટની બહાર લોકો લાંબી લાંબી લાઈનો લગાવીને ઉભેલા જોવા મળી રહ્યા છે. કોરોનાને કારણે અહીયાના લોકોમાં હવે ફરી ભયનો માહોલ ફેલાયો છે. જેથી લોકો વધુથી વધું સામાન ખરીદવા માગી રહ્યા છે. જોકે ડિમાન્ડની સામે સપ્લાય નથી બરાબર જેના કારણે પરિસ્થિતી અહીયા વણસી રહી છે.
ફરી ચીનમાં કોરોનાએ ઉથલો માર્યો
માર્કેટમાં લોકો ધક્કામુક્કી કરતા નજરે પડી રહ્યા છે. સરકાર દ્વારા લોકોને કહેવામાં આવ્યું છે કે લોકો આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોક ખરીદીને રાખે. ચીનમાં ફરીથી કોરોનાએ ઉથલો માર્યો છે. જેના કારણે સરકાર પણ હવે અહીયા ચીંતામાં મુકાઈ ગઈ છે. બીજી તરફ ડિમાન્ડ સામે સપ્લાયની ચેન ખોરવાઈ છે. જેના કારણે કંપનીઓ પણ હવે અહિયા ચીંતામાં મુકાઈ ગઈ છે.
લોકોને નથી મળી રહ્યો સામાન
અલીબાબા ઈ કોમર્સ સાઈટ પર લોકો ડિમાન્ડ કરી રહ્યા છે. પરંતુ તેમને સામાન નથી મળી રહ્યો. સ્થાનિક દુકાનદારોને ત્યા પણ બધો સ્ટોક ખાલી થઈ ગયો છે. વાણીજ્ય મંત્રાલયે પણ 1 નવેમ્બરે સ્થાનિક સરકારોને નિર્દેશ કર્યો હતો. કે તેઓ લોકોને જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા માટે પ્રોત્સાહિત કરે.
સરકારે સાવચેતી રાખવા માટે આપી સલાહ
પરિસ્થિતીને જોતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકોને ફરી લોકડાઉનનો ડર લાગી રહ્યો છે. લોકોનું અહીયા એવું માનવું થે કે કોરોનાના વધતા કેસને લઈને સરકાર કોઈ કડક પગલું ફમ ભરી શકે છે. ત્યારે બીજી તરફ સરકારનું પણ કહેવું એમ છે કે ઘબરાવાની કોઈ જરૂર નથી આ માત્ર સાવચેતીને અનુસરીને કહેવામાં આવી રહ્યું છે.
પરિસ્થિતીને લઈ લોકોમાં ભયનો માહોલ
ઉલ્લેખનીય છે કે સરકાર ભલે કહી રહી હોય કે ડરવાની કોઈ વાત નથી પરંતું લોકોનો ડર હજું કાયમ છે. સોશિયલ મીડિયા સાઈટ પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે. અમુક લોકોનું કહેવું છે કે જ્યારે ગત વર્ષે કોરોના ચરમ સીમાએ હતો ત્યારે પણ સરકારે લોકોને જરૂરી વસ્તુનો સ્ટોક કરવા નહોતું કહ્યું. જેથી આ વખતે લોકોનાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.