શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યાના નિધનની અટકળો ક્રિકેટની દુનિયામાં આગની જેમ ફેલાઇ, પરંતુ આ માત્ર અફવા છે. કોઇ પણ ન્યૂઝ એજન્સી અથવા તો કોઇ પણ અધિકારીએ આ અંગેની કોઇ જાણકારી આપી નથી.
વાસ્તવમાં આ મહિનામાં કેનેડામાં એક કાર દુર્ઘટનામાં 49 વર્ષના જયસૂર્યાના મૃત્યુના વિશે ઇન્ટરનેટ પર એક ખોટા સમાચાર ફેલાયા હતા. આ સમાચારને લઇને ટીમ ઇન્ડિયાના સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પણ ચોંકાવી દીધા, કેમકે તેણે પોતાના ટ્વિટર પર પોતાના 9.45 મિલિયન ફોલોઅર્સને આ અટકળો વિશે સત્યતા પૂછી.
રવિચંદ્રન અશ્વિન ટ્વિટ કર્યુ કે, ''શું સનથ જયસૂર્યાથી જોડાયેલી આ સમાચાર સત્ય છે? મને WhatsApp પર અપડેટ મળી, પરંતુ અહીંયા ટ્વિટર પર કંઇ નથી.''
Is the news on Sanath Jayasuriya true?? I got a news update on what's app but see nothing here on Twitter!!
— Ashwin Ravichandran (@ashwinravi99) May 27, 2019
ટ્વિટર પર ઘણા ફેન્સને અશ્વિને ટ્વિટ કરીને કહ્યુ કે, જયસૂર્યાના મૃત્યુની વાત ખોટી છે. એક યૂઝરે લખ્યુ કે, ''આ ખોટું છે, સનથએ પોતે આ વાતનું ખંડન કર્યુ છે.''
Please disregard fake news by malicious websites regarding my health and well being.
I am in Srilanka and have not visited Canada recently.Please avoid sharing fake news.
સનથ જયસૂર્યાએ પોતે ટ્વિટર એકાઉન્ટ પર કાર દુર્ઘટનાના સમાચાર માટે ઇન્કાર કરી દીધો. 21 મેના જયસૂર્યાએ લખ્યુ કે, ''મારા સ્વાસ્થ્યને લઇને ખોટી અફવાહ પર ધ્યાન ના આપો, હું શ્રીલંકામાં છું અને હમણા કેનેડા નથી ગયો. કૃપા કરીને આ સમાચાર પર ધ્યાન ના આપો.''
સનથ જયસૂર્યા સીમિત ઑવરોના ક્રિકેટમા ઇતિહાસના સારા બેટ્સમેનમાંથી એક છે. ODI મેચમાં 12000 થી વધારે રમ કર્યા છે જ્યારે 300થી વધારે વિકેટ લીધી છે. 1996માં વર્લ્ડકપના મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર એવોર્ડ મળ્યો હતો. શ્રીલંકાએ એ વર્ષે વર્લ્ડ કપ જીત્યો. જયસૂર્યાએ ડિસેમ્બર 2007માં ટેસ્ટ ક્રિકેટ અને જૂન 2011માં સીમિત ઑવરના ક્રિકેટમાંથી સંન્યાસ લીધો.