અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિમાં મંદિર નિર્માણના શિલાન્યાસની શુભ ઘડી નજીક આવી રહી છે. વડાપ્રધાન મોદીના હસ્તે મંદિર નિર્માણ શરુ કરવામાં આવશે ત્યારે અયોધ્યા નગરીમાં તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આમંત્રિતોને બોલાવવામાં આવી રહ્યા છે ત્યારે કથાકાર મોરારિબાપુને આમંત્રણ ન અપાતા સમર્થકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
રામમંદિર ભૂમિપૂજનનો અવસર
મોરારિબાપુને આમંત્રણ મળ્યો હોય તેવો ખોટો લેટર વાયરલ
બાપુને આમંત્રણ ન મળતા સમર્થકોમાં નારાજગી
ખોટો લેટર વાયરલ
મોરારિબાપુને ભૂમિપૂજન કાર્યક્રમમાં આમંત્રણ નથી મળ્યું ત્યાં રામ મંદિર મુદ્દે તેમના નામે એક લેટર પણ આજે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. મોરારિબાપુને આમંત્રણ મળ્યું હોવાનો ખોટો લેટર સોશ્યલ મીડિયામાં છવાઈ ગયો છે. આમંત્રણ પત્રિકામાં ખોટી રીતે નામ એડિટ કરવામાં આવેલું છે. નડિયાદ સ્વામિનારાયણ મંદિરના લેટરમાં છેડછાડ કરાઇ અને તેને વાયરલ કરવામાં આવ્યો આવ્યો.
બાપુના સમર્થકોમાં નારાજગી
કથાકાર મોરારીબાપુને આમંત્રણ ન મળ્યું હોવાથી સમર્થકો નારાજ થયા છે. રાજુલાની બજરંગ સેનાએ મોરારિબાપુ આમંત્રણ આપવા માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી માંગ કરી છે. વીડિયોમાં રામમંદિરના ટ્રસ્ટીઓને આમંત્રણ આપવા માટે અપીલ કરવામાં આવી છે.
મોરારીબાપુએ ફંડ એકઠું કરવા ઝુંબેશ ચલાવી
5 ઓગસ્ટે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન છે. ત્યારે આ દરમિયાન કાર્યક્રમમાં 200 જેટલા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે કથાકાર મોરારિ બાપુ અને રમેશભાઇ ઓઝાને આમંત્રણ નથી આપવામાં આવ્યું. ત્યારે ભૂમિપૂજનમાં આમંત્રણ ન મળતા સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. મોરારિબાપુએ રામમંદિર માટે ફંડ એકત્ર કરવા ઝુંબેશ ચલાવી અને દેશ-વિદેશથી કરોડો રૂપિયાનું ફંડ એકઠુ કર્યું છે. છતાં રામમંદિર ભૂમિપૂજનમાં આમંત્રણ ન મળતા સમર્થકોમાં નારાજગી છે.