દ્વારકામાં ખેડૂતે ઉલાલા કંપનીની નકલી જંતુનાશક દવા વેચનાર સામે ફરિયાદ નોંધાવી છે. બારકોડ સ્કેન કરતા નકલી જંતુનાશકનો ભાંડો ફુટ્યો હતો જે અંગે ફરિયાદ નોંધાઈ છે.
ખેડુતે ઉલાલ કંપનીની દવા વેચના સામે નોંધાવી ફરિયાદ
ખેડુતો સામે ડિસ્ટ્રીબ્યુટર સામે નોંધાવી ફરીયાદ
પાકમાં કોઇ અસર ન કરતી હોઇ ખેડુતનો આક્ષેપ
ખેડૂતો માટે ચેવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. નકલી જંતુનાશક દવાઓ વેચતી કંપનીનો પર્દાફાશ થઈ ગયો છે. આ અંગે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
ભાણવડ તાલુકાના ગુંદા ગામે રહેતા ખેડૂત દ્વારા નકલી જંતુનાશક દવા બનાવનાર વેચનાર અને ડિસ્ટ્રીબ્યુટર પર ફરિયાદ કરવામાં આવી છે. ભાણવડના પટેલ એગ્રો સિડ્સની દુકાનેથી ઉલાલા બ્રાન્ડની જંતુનાશક દવા લીધી હતી. આ દવાનું પાકું બિલ આપવામાં આવ્યું હતું. અને ખેતરમાં દવાનો છંટકાવ કર્યો પરંતુ કોઈ ગુણવત્તા ખરાબ હોવાના કારણે કોઈ અસર પાક થઇ નહીં.
આ અંગે ટોલ ફ્રી નંબર પર કંપનીના અધિકારીઓને જાણ કરી હતી. તેમણે બારકોડ સ્કેન કરવા કહ્યું જે સ્કેન ન થતા કંપનીના અધિકારીઓએ આ દવા નકલી હોવાનું જણાવ્યુ હતું. આ અંગે ખેડૂતે ફરિયાદ નોંધવા અરજી કરી છે. અને નકલી દવા વેચાણ કરનાર , ડિસ્ટ્રીબ્યુટર, અને બનાવનાર વિરુદ્ધ IPC કલમ હેઠળ ગુન્હો દાખલ કરવા માંગ કરાઈ છે.