આમીર ખાનના ભાઈ ફૈસલ ખાને કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી અને આ સાથે બોલીવુડને લઈને પણ કેટલીક વાતો કરી. જુઓ શું કહે છે ફૈસલ ખાન.
આમીર ખાનનાં ભાઈ ફૈસલ ખાને કહ્યું સુશાંત સિંહ રાજપૂતનું મર્ડર થયું હતું
હું બોલીવુડ બોયકોટને સપોર્ટ કરું છું - ફૈસલ ખાન
સિનેમાજગતમાં ગ્રુપીઝમ ખૂબ જ છે - ફૈસલ ખાન
બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં દુનિયાને અલવિદા કહ્યાને બે વર્ષ વીતી ચુક્યા છે પણ તેમના મૃત્યુનું રહસ્ય હજુ ખુલ્યું નથી. ફેન્સ હોય કે પછી સુશાંતનો પરિવાર, સૌ કોઈ એક્ટરનાં મૃત્યુનાં પાછળનું કારણ જાણવા માંગે છે. આ દરમિયાન હવે આમીર ખાનના ભાઈ ફૈસલ ખાને સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુને સુસાઈડ નહીં પણ મર્ડર જણાવ્યું છે. સાથે જ બીજી ઘણી વાતો પણ જણાવી.
સુશાંતનું થયું હતું મર્ડર - ફૈસલ ખાન
આમીર ખાનના ભાઈ ફૈસલ ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે મને ખબર છે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ છે. આશા છે કે સત્ય સામે આવશે. આ કેસ ક્યારે ખુલશે એ તો સમય જ જણાવશે. આમાં ઘણી એજન્સીઓ સામેલ છે. હાલમાં આ કેસની તપાસ ચાલી રહી છે, પણ એ વાત પણ સાચી છે કે ઘણી વાર સત્ય સામે આવતું નથી. હું બસ પ્રાર્થના કરી શકું કે સત્ય સામે આવે, જેથી બધી વસ્તુઓ વિષે જાણ થાય.
સુશાંતને નીચો બતાવવામાં આવ્યો
આ સાથે જ ફૈસલ ખાને કહ્યું કે હું બોલીવુડ બોયકોટને સપોર્ટ કરું છું. નવો માણસ આગળ વધે છે, સુશાંત બની જાય છે પણ તેનું મર્ડર કરવામાં આવ્યું. કોણે કર્યું એ તો મને ખ્યાલ નથી. ઘણું મિસ્ટેરીયસ છે. મોટા પ્રોડક્શન હાઉસે તેને સાઈન કરીને છોડ્યો છે. કામ સારું હતું, કોન્ફીડન્સ તોડવા માટે તેને નીચો બતાવવામાં આવ્યો. એક એવો સમય આવશે, જ્યારે ઇન્ડસ્ટ્રી ખતમ થઇ જશે. ઇન્ડસ્ટ્રીનો ડાઉનફોલ શરુ થઇ ગયો છે.
નેપોટીઝમને લઈને જુઓ શું કહ્યું
આ સાથે જ ફૈસલ ખાને બોલીવુડમાં નેપોટીઝમને લઈને પણ વાત કરી. ફૈસલ ખાને કહ્યું કે આ લાઈનમાં ખૂબ જ કરપ્શન છે. નેપોટીઝમ પણ છે. નેપોટીઝથી તમને ફિલ્મ મળી જશે. પણ જો તમારામાં દમ નથી અને તમે કામ નથી જાણતા, તો નહીં ટકી શકો. સિનેમાજગતમાં ગ્રુપીઝમ ખૂબ જ છે. જો તમે ગ્રુપમાં નથી તો તમને તકલીફ પડી શકે છે.